ભરૂચ : નબીપુર પાસે આવેલાં ઝંઘાર ગામે કપિરાજના આતંકથી લોકો ભયભીત
BY Connect Gujarat15 Oct 2020 1:06 PM GMT
X
Connect Gujarat15 Oct 2020 1:06 PM GMT
ભરૂચ જિલ્લાના નબીપુર પાસે આવેલાં ઝંઘાર ગામમાં કપિરાજના આતંકના કારણે ભયનો માહોલ જોવા મળી રહયો છે. કપિરાજ બચકા ભરી ફરાર થઇ જતો હોવાથી લોકો ઘરોની બહાર નીકળતાં ગભરાય રહયાં છે. કપિરાજને પકડવા માટે પાંજરૂ મુકવા બાબતે ગામલોકોએ વન વિભાગને જાણ કરી છે. જીવદયાપ્રેમીઓ તથા વન વિભાગની ટીમે કપિરાજને પકડવાની કવાયત હાથ ધરી હતી. આશરે ચાર કલાકની જહેમત બાદ કપિરાજ પાંજરે પુરાય જતાં લોકોએ હાશકારો લીધો હતો. વનવિભાગના અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ મેડિકલ ચેકઅપ બાદ કપિરાજ ને તેના કુદરતી રહેઠાણમાં મુક્ત કરવામા આવશે....
Next Story