Connect Gujarat
ગુજરાત

ભરૂચ : જંબુસરના અંતરિયાળ ગામોમાં લોકોને અપાઈ પ્રાથમિક સારવાર, કોરોનાથી બચવા અપાયું માર્ગદર્શન

ભરૂચ : જંબુસરના અંતરિયાળ ગામોમાં લોકોને અપાઈ પ્રાથમિક સારવાર, કોરોનાથી બચવા અપાયું માર્ગદર્શન
X

ભરૂચ જિલ્લાના જંબુસર ગામમાં GVK EMRI ઈમરજન્સી સેવા તેમજ પી.આઈ.

ફાઉન્ડેશન દ્વારા અંતરિયાળ વિસ્તારમાં લોકોને પ્રાથમિક સારવારની વિશેષ સુવિધા

આપવામાં આવી રહી છે.

જંબુસર તાલુકાના

અંતરિયાળ વિસ્તારમાં 3 જેટલી એમ્બ્યુલન્સ ગામે ગામ ફરી લોકોને પ્રાથમિક

સારવારની સુવિધા આપવામાં આવી રહી છે. આ એમ્બ્યુલન્સમાં કુલ 5 લોકોનો

સ્ટાફ કાર્યરત રહે છે. જેમાં મેડિકલ ઓફિસર, લેબ ટેક્નિશયન, ફાર્મસીસ્ટ સહિતના કર્મચારીઓ સેવા આપે છે. ઉપરાંત લોકોને કોરોનાના સંક્રમણથી બચવા માટે ઘરે-ઘરે જઈ પેમ્પ્લેટ આપી સાવચેતી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Next Story