ભરૂચ : ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાનું રાજપુત સમાજે કર્યું સન્માન
BY Connect Gujarat5 Jan 2020 11:55 AM GMT
X
Connect Gujarat5 Jan 2020 11:55 AM GMT
ભરૂચમાં ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. જેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ખાસ હાજર રહયાં હતાં. ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળના ઉપક્રમે સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવતાં હોય છે. સ્નેહમિલનમાં વિવિધ શહેરોમાં વસતાં રાજપુત સમાજ ના લોકો ઉપસ્થિત રહી સમાજમાં એકતા અને સંગઠિતતા વધે તે માટે પ્રયાસો કરતાં હોય છે. રવિવારના રોજ યોજાયેલા સ્નેહમિલન સમારંભમાં વિક્રમસિંહ મહારાઉલજીને ભીષ્મપિતામહ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ ખાસ ઉપસ્થિત રહી રાજપૂત સમાજની મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી.
Next Story