Connect Gujarat
Featured

ભરૂચ: એસ.ટી.ની વિભાગીય કચેરી ખાતે યોજાઇ રક્તદાન શિબિર, જાણો હેતુ

ભરૂચ: એસ.ટી.ની વિભાગીય કચેરી ખાતે યોજાઇ રક્તદાન શિબિર, જાણો હેતુ
X

માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ એસ.ટી.વિભાગીય કચેરી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

સમગ્ર રાજયમાં હાલમાં માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે વિવિધ જાણ જાગૃતિ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જેના ભાગરૂપે ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા એસ.ટી.ની વિભાગીય કચેરી ખાતે આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામા આવ્યું હતું. રેડ ક્રોસ બ્લડ બેન્ક દ્વારા યોજાયેલ રક્તદાન શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું અને સેવા કાર્ય કર્યું હતું.

Next Story