Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ઝઘડિયા તાલુકામાં તરબૂચની ખેતી કરનારાઓને ઓછો વેચાણ ભાવ મળતાં, ઉત્પાદકોમાં ચિંતાનો માહોલ

ભરૂચ : ઝઘડિયા તાલુકામાં તરબૂચની ખેતી કરનારાઓને ઓછો વેચાણ ભાવ મળતાં, ઉત્પાદકોમાં ચિંતાનો માહોલ
X

ઉનાળામાં વધુ પ્રમાણમાં તરબૂચનું ખરીદ વેચાણ થતું હોય છે ત્યારે ઝઘડિયા તાલુકાના કેટલાક વિસ્તારોમાં તરબૂચનો પોષણક્ષત ભાવ પ્રાપ્ત નહી થતા, ઉત્પાદકોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. નર્મદા તટ વિસ્તાર સહિત વિવિધ ખાડીઓના કાંઠા પર આવેલા ખેતરોમાં કેટલાક ખેડૂતોએ તરબૂચની ખેતી કરી છે તરબૂચનું ઉત્પાદન પણ વધુ પ્રમાણમાં હોવાનું ખેડુતો જણાવી રહયા છે. પરંતુ હાલમાં કોવીડ-19 અન્વયે લોકડાઉનની પણ માઠી અસર થતાં પાકનું વેચાણ કરવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે.

ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો રાજ્ય ધોરીમાર્ગ સૂમસામ છે, જેથી તરબૂચનું છુટક વેચાણ પણ શકય નથી. ઉત્પાદકોને પોતાના ખેતરોની બહાર તેમજ નજીકના ગામડાંઓમાં જઈને વેચાણ કરવું પડે છે પંરતુ ઉંચો વેચાણ ભાવ મળતો નથી પ્રતિ કિલો દીઠ માત્ર ૧૦ રૂપીયાના ભાવે વેચાણ કરવું પડે છે. જેના પગલે પાકનો માવજત ખર્ચ,મજૂરીનો ખર્ચ મળતો નથી, અને ખેડુતોને આથિઁક નુકશાન ભોગવવું પડે છે તેમ ખેડુતોએ જણાવ્યુ હતું.

Next Story