વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત અંક્લેશ્વર પાલિકા દ્વારા રેલી સહિત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અન્વયે આજે 5 જૂન "વિશ્વ પર્યાવરણ દિવસ" અંતર્ગત અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા નગરપાલિકા કચેરી ખાતેથી રેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી.

New Update
NP

"નિર્મળ ગુજરાત અભિયાન" હાલ ચાલી રહેલ છે. જે અન્વયે આજે 5 જૂન "વિશ્વ પર્યાવરણ દિવસ" અંતર્ગત અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા નગરપાલિકા કચેરી ખાતેથી રેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી. જે રેલી સ્વર્ણિમ લેકવ્યું પાર્ક સુધી પહોચી હતી. જેને નગરપાલિકા પ્રમુખ લલીતા રાજપુરોહિતવિનય વસાવાઅક્ષેશ પટેલચીફ ઓફીસર કેશવલાલ કોલડિયા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

Advertisment

"નિર્મળ ગુજરાત અભિયાન" અંતર્ગત નીકળેલી રેલી દરમ્યાન ઓ.એન.જી.સી.ના અધિકારી તેમજ સી.આઈ.એસ.એફ. અંક્લેશ્વરના કમાન્ડન્ટ કૃતિકા નેગી અને કમાન્ડન્ટ સ્ટાફના સભ્યોરોયલ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટના સભ્યોઆઇ.આઇ.સી.એલ. ઇન્સ્ટિટ્યૂટના સભ્યોનગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓકર્મચારીઓ અને સફાઈ કામદારો મોટી સંખ્યામાં હાજર રહેલ હતા. આ રેલી દરમ્યાન "વૃક્ષ વાવોપર્યાવરણ બચાવો" તેમજ "વૃક્ષ છે તો જીવન છે" વિગેરે સૂત્રો બોલીને નાગરિકોને વૃક્ષો વધુ વાવીએ તો વરસાદ લાવવા માટે અને જીવનમાં ઑક્સિજન મેળવવા વૃક્ષની કેટલી જરૂરિયાત છે તે માટે જણાવ્યું હતું. જે બાદ અંકલેશ્વર શહેરના સ્વર્ણિમ લેકવ્યું પાર્ક ખાતે હાજર મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Read the Next Article

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાયું

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે. રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા

New Update
y

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે.

Advertisment

રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. 

શહેરના સ્ટેશન રોડ, કોર્ટ વિસ્તાર, મુખ્ય માર્ગના સર્કલો  સહિત માર્ગો પર ત્રિરંગી લાઇટિંગ આકર્ષક સજાવટ કરાતા સાંજના સમયે આખું શહેર દેશભક્તિના રંગોથી ઝગમગી ઉઠે છે.વહીવટી તંત્રના આયોજન દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને માત્ર માર્ગો જ નહીં પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ તિરંગામય બની ગઈ છે. નગરપાલિકા, કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી તેમજ અન્ય સરકારી ઇમારતો પર ત્રિરંગી લાઇટિંગ કરાતા રાત્રિના સમયે દૃશ્ય અતિ મનોહર બની રહ્યું છે.શહેરવાસીઓ માટે આ શણગાર ગૌરવ અને ઉત્સાહનો વિષય બની રહ્યો છે. વરસાદ વચ્ચે ઝળહળતા લાઇટિંગ અને દેશભક્તિજન્ય શણગારે તહેવારી માહોલને વધુ જીવંત બનાવી દીધો છે. નાના બાળકો થી લઈને વડીલ નાગરિકો સુધી, દરેક વ્યક્તિ આ શણગાર નિહાળવા માટે પોતાના ઘરોમાંથી બહાર આવી રહી છે અને મોબાઇલ કેમેરામાં આ ઝલક કેદ કરી રહી છે.

Latest Stories