અંકલેશ્વર : કેમક્રક્ષ કંપનીમાં વેક્યુમ મશીનનો વાલ્વ ખોલતી વેળા કામદારને વીજ કરંટ લાગતાં મોત...
જીઆઈડીસીમાં આવેલ કેમક્રક્ષ એન્ટરપ્રાઈઝ લીમીટેડ કંપનીમાં વેક્યુમ મશીનનો વાલ્વ ખોલતી વેળા વીજ કરંટ લાગતા કામદારનું મોત નીપજ્યું હતું.
BY Connect Gujarat Desk13 July 2022 11:18 AM GMT
X
Connect Gujarat Desk13 July 2022 11:18 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમક્રક્ષ એન્ટરપ્રાઈઝ લીમીટેડ કંપનીમાં વેક્યુમ મશીનનો વાલ્વ ખોલતી વેળા વીજ કરંટ લાગતા કામદારનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ ગોપાલનગર સ્થિત ગણેશ પાર્ક રો-હાઉસમાં રહેતા 25 વર્ષીય ગોપાલ સુધાકર પાટીલ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમક્રક્ષ એન્ટરપ્રાઈઝ લીમીટેડ કંપનીમાં નોકરી કરે છે, જેઓ ગતરોજ રાત્રે 9:25 કલાકે કંપનીમાં વેક્યુમ મશીનમાં વાલ્વ ખોલી રહ્યા હતા, તે દરમ્યાન વીજ કરંટ લાગતા ગોપાલ પાટીલનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ જીઆઈડીસી પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Next Story