અંકલેશ્વર: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ભરૂચ જિલ્લો હરિયાળો બને અને પર્યાવરણનું જતન થાય તે માટે ભરૂચ સીટીઝન કાઉન્સિલ હરહંમેશ પ્રયત્નશીલ છે

New Update

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા અંકલેશ્વર ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લો હરિયાળો બને અને પર્યાવરણનું જતન થાય તે માટે ભરૂચ સીટીઝન કાઉન્સિલ હરહંમેશ પ્રયત્નશીલ છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સિટીઝન કાઉન્સિલ, અંદાડા ગ્રામ પંચાયત તથા અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે અંકલેશ્વર તાલુકાના અંદાડા ખાતે રેવા અરણ્ય-અંદાડાનો શુભારંભ કરવામાં આવ્યો હતો

અંદાડા ગ્રામ પંચાયત દ્વારા ભરૂચ સીટીઝન કાઉન્સિલને જમીન ફાળવી આપી વૃક્ષારોપણ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા જેના ભાગરૂપે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ, સેક્રેટરી હરીશ જોષી, મનોજભાઈ આનંદપુરા નરેશ પુજારા, ડીએફઓ ઉર્વશી પ્રજાપતિ, આર.એફ.ઓ. ડામોર, અંદાડા ગ્રામ પંચાયતના સરપંચ નીરુ પટેલ, આગેવાન વિશાલ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય કિરીટ પરમાર, તાલુકા પંચાયતના સભ્ય પુષ્પાબેન પટેલ,અંકલેશ્વર કોર્ટના ન્યાયાધીશ મકવાણા સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર તાલુકાના અંદાડા ખાતે હરીયાળુ વન ઉભું કરવા માટેની નેમ સૌ કોઈએ લીધી હતી

" max-width="100%" class="video-element note-video-clip" height="360">


Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.