અંકલેશ્વર : 3 પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલ રૂ. 30.42 લાખના દારૂના જથ્થા પર ફરી વળ્યું પોલીસનું રોડ રોલર...

છેલ્લા 6 મહિનામાં ઝડપાયેલા 47 પ્રોહીબિશન કેસમાં પકડાયેલા રૂ. 30.42 લાખના દારૂના જથ્થા પર પોલીસ દ્વારા રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ડિવિઝનના 3 પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા 6 મહિનામાં ઝડપાયેલા 47 પ્રોહીબિશન કેસમાં પકડાયેલા રૂ. 30.42 લાખના દારૂના જથ્થા પર પોલીસ દ્વારા રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.

અંકલેશ્વરની કડકીયા કોલેજ નજીક અંકલેશ્વર ડિવિઝનના 3 પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા 6 મહિનામાં ઝડપાયેલા 47 પ્રોહીબિશન હેઠળ રૂ. 30.42 લાખના દારૂના જથ્થા પર પોલીસ દ્વારા રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર ડિવિઝનના જીઆઈડીસી પોલીસ મથક અને તાલુકા પોલીસ મથક અને બી’ ડિવિઝન પોલીસ મથકમાં છેલ્લા 6 માહિનામાં 47 પ્રોહિબિશનના કેસ હેઠળ 24,711 વિદેશી દારૂની બોટલો ઝડપાઇ હતી. આ ઝડપાયેલ દારૂના નાશ માટે વડોદરા ઇન્ચાર્જ રેન્જ આઈજી આર.વી.અસારી, ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ સૂચના આપતા નાયબ પોલીસ વડા ચિરાગ દેસાઇ દ્વારા વિદેશી દારૂના જથ્થાના નાશ માટે કોર્ટમાંથી મંજૂરી મેળવાઇ હતી. અંકલેશ્વર ઇન્ચાર્જ પ્રાંત અધિકારી દિપક બારિયાને રિપોર્ટ કર્યા બાદ આજરોજ અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઇ અને મામલતદાર કિરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓની હાજરીમાં રૂ. 30.42 લાખના વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.