અંકલેશ્વર: ગડખોલ પાટિયા નજીક આવેલ નીરવકુંજ સોસા.માં તસ્કરો ત્રાટક્યા, બંધ મકાનમાંથી રૂ. 3.49 લાખના માલમત્તાની ચોરી
ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ નીરવકુંજ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૩.૪૯ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
BY Connect Gujarat Desk26 April 2023 12:50 PM GMT
X
Connect Gujarat Desk26 April 2023 12:50 PM GMT
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ નીરવકુંજ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૩.૪૯ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
મૂળ યુપીના અને હાલ અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ નીરવકુંજ સોસાયટીમાં રહેતા અંશુધર ઉપેન્દ્ર હરી ક્રિષ્ણ મિશ્રા ગત તારીખ-૨૩-૩-૨૩ના રોજ તેઓના વતનમાં દાદીનું અવસાન થતા પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે પોતાનું મકાન બંધ કરી ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરની બારી તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ રોકડા અને બે ફોન તેમજ સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૩.૪૯ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે મકાન માલિકે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.
Next Story