અંકલેશ્વર : એક સાથે 6 વાહનો વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત, ડ્રાઈવર ટ્રકની કેબિનમાં ફસાતા રેસક્યું કરાયું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આજે વહેલી સવારે એક સાથે 6 વાહનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.

New Update
અંકલેશ્વર : એક સાથે 6 વાહનો વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત, ડ્રાઈવર ટ્રકની કેબિનમાં ફસાતા રેસક્યું કરાયું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આજે વહેલી સવારે એક સાથે 6 વાહનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 વ્યક્તિઓને ગંભીર ઇજા પહોચી હતી, જ્યારે મહારાષ્ટ્રના પરિવારનો આબાદ બચાવ થયો હતો.

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ નિલેશ ચોકડી પાસે આજે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં એક સાથે 6 વાહનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 ટ્રક, 2 ટ્રેલર અને 2 કાર વચ્ચે અકસ્માત સર્જાતા હાઇવે સહિત પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી ખાતે ભારે ટ્રાફિક જામ થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, ટ્રકની કેબિનમાં ડ્રાઈવર ફસાય ગયો હતો. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર DPMCના ફાયર ફાઇટરો સહિત પોલિસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે ગેસ કટરની મદદથી પતરું કાપીને ટ્રકમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવા રેસક્યું ટીમે જહેમત ઉઠાવી હતી.

લગભગ 3 કલાકની ભારે જહેમત બાદ ચાલકને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેન વડે રોડની સાઇડમાં કરાવી પોલીસે વાહન વ્યવહારને પૂર્વવત કરાવ્યો હતો. આ અકસ્માતમાં 2 વ્યક્તિઓને ગંભીર ઇજા પહોચી હતી, જ્યારે મહારાષ્ટ્રના પરિવારનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

ભરૂચ: દિગ્ગજ નેતા મર્હુમ અહેમદ પટેલની આજે જન્મ જયંતિ, કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાય

ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા મર્હુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

New Update
  • ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયો કાર્યક્રમ

  • મર્હુમ અહેમદ પટેલનું જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ

  • અહેમદ પટેલની પ્રતિકૃતિને પુષ્પાંજલી અર્પણ કરાય

  • કોંગ્રેસના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • અહેમદ પટેલના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મર્હુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા મર્હુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી,હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અહેમદ પટેલે પોતાના રાજકીય જીવનમાં કોંગ્રેસ પાર્ટી માટે અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું ત્યારે તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા
Latest Stories