ભરૂચ : કોલેજ ઓફ એગ્રીકલ્ચર અને પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચર કોલેજ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું....
ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત સ્વછાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
BY Connect Gujarat Desk2 Oct 2023 9:10 AM GMT
X
Connect Gujarat Desk2 Oct 2023 9:10 AM GMT
તા. 2જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત સ્વછાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભરૂચની સરકારી કોલેજ ઓફ એગ્રીકલ્ચર અને પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત કોલેજના પ્રાધ્યાપક ગણના દેખરેખ હેઠળ તેમજ તેમના માર્ગદર્શન હેઠળ કોલેજના કેમ્પસમાં સ્વચ્છતા અભિયામ હાથ ધરવામાં આવ્યું હતું.
Delete Edit
કોલેજના ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ, ફાર્મ તેમજ તેના પરિસરને સાફ સફાઈ કરી ગારબેજ ફ્રી કર્યા હતા. આ સમગ્ર પ્રવૃત્તિ કરવા માટે કોલેજના આચાર્યશ્રીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં જુદા જુદા વિભાગના ફેકલ્ટી અને સ્ટાફ દ્વારા પણ આ અભિયાનમાં જોડાઈ શ્રમદાન કર્યું હતું.
Next Story