Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ભારત રસાયણ કંપનીમાં થયેલ બ્લાસ્ટ મામલે સાંસદ તેમજ MLAએ કંપનીના સંચાલકો સાથે કરી બેઠક

ગતરોજ દહેજ ખાતે આવેલ ભારત રસાયણ કંપનીમાં જે વિસ્ટફોટ થયો હતો એ કંપનીમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું

ભરૂચ : ભારત રસાયણ કંપનીમાં થયેલ બ્લાસ્ટ મામલે સાંસદ તેમજ MLAએ કંપનીના સંચાલકો સાથે કરી બેઠક
X

ગતરોજ દહેજ ખાતે આવેલ ભારત રસાયણ કંપનીમાં જે વિસ્ટફોટ થયો હતો એ કંપનીમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું. તથા કંપનીના જવાબદાર લોકો સાથે સમીક્ષા બેઠક કરી સૂચવ્યું હતું કે વિસ્ફોટમાં ઘાયલ થયેલ કર્મચારીઓને સારી સારવાર મળે તથા મુત્યુ પામેલ કર્મચારીઓને યોગ્ય વળતર મળે તેવી રજુઆત કરી હતી. આ વેળાએ ધારાસભ્ય અરુણસિંહ રાણા સહિત સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ ઉપ પ્રમૂખ દિવ્યજીતસિંહ ચુડાસમા, દહેજ તાલુકા પંચાયત પ્રમુખ, દહેજ સરપંચ જયદીપસિંહ, નકુલસિંહ, રણજીતસિંહ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તદુપરાંત ભવિષ્યમાં આવી ગોઝારી ઘટના ન બને એના માટે સાંસદ, જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા તેમજ જીઆઇડીસી સાથે સંલગ્ન તમામ સરકારી વિભાગ, જીઆઇડીસીના જવાબદાર પ્રતિનિધિઓ, નિષ્ણાત ટીમ અને સ્થાનિક આગેવાનો સાથે ટુંક સમયમાં એક સમિક્ષા બેઠક કરવામાં આવશે તેમ પણ જણાવાયું હતું.

Next Story