ભરૂચ : AAP અને BTP પાર્ટી વચ્ચેના ગઠબંધન સામે સાંસદ મનસુખ વસાવાએ આપી તીખી પ્રતિક્રિયા...

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ભરૂચમાં, ચંદેરીયા ગામે AAP અને BTP પાર્ટી વચ્ચે થશે ગઠબંધન

New Update
ભરૂચ : AAP અને BTP પાર્ટી વચ્ચેના ગઠબંધન સામે સાંસદ મનસુખ વસાવાએ આપી તીખી પ્રતિક્રિયા...

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચંદેરીયા ગામે આજરોજ મહા સંમેલનમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અને છોટું વસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટી વચ્ચે ગઠબંધન વિરુદ્ધ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ બન્ને પાર્ટી વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી શાબ્દિક પ્રહાર કર્યા હતા.

ભરૂચના નેત્રંગ તાલુકાના ચંદેરીયા ગામે મહા સંમેલનમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અને છોટું વસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થવા જઈ રહ્યું છે, ત્યારે ભરૂચના સાંસદ અને ભાજપના પીઢ નેતા મનસુખ વસાવાનો આ મત વિસ્તાર હોવાથી સાંસદ મનસુખ વસાવાએ આ બન્ને પાર્ટી સામે મીડિયામાં તીખી પ્રતિક્રિયા આપી હતી. તેઓએ બન્ને પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી જુઠ્ઠા લોકોની પાર્ટી છે, અને સયુંક્ત સંમેલન જીતવાનો પ્લાન છે.

પાણી અને વીજળી મફત આપવાનું કહી મત માંગે છે. આમ આદમી પાર્ટીને ઘણા બધા જાણે છે. ઉપરાંત સાંસદ મનસુખ વસાવાએ ભારતીય ટ્રાયબલ પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરી જણાવ્યુ હતું કે, લોકોને ઉશ્કેરવા રાષ્ટ્રીય વિચારધારા વિમુખ BTP પાર્ટી કાચીન્ડાની જેમ રંગ બદલે છે. કોઈને કોઈ પાર્ટી સાથે ગઠબંધન કરશે. અગાઉ જનતા દળ સાથે સપના જોયા હતા. પરંતુ સફળ થયા નથી. હવે આપ સાથે BTP ગઠબંધ કરી મુંગેરીલાલના હસીન સપના જોવા માંડ્યા છે. જે પણ સફળ થવાના નથી અને જનતા પણ સ્વીકાર નહીં કરે. ભારતીય જનતા પાર્ટીના સાશનમાં આદિવાસી વિસ્તારમાં ખૂબ સારો વિકાસ થયો છે તેવું પણ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું.

Read the Next Article

ભરૂચ : જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની 14 વર્ષ બાદ વહેલી મુક્તિથી પરિવારજનોમાં ખુશી

 ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી.

New Update

આજીવન કેળના કેદીની મુક્તિ

14 વર્ષ બાદ જેલમાંથી મળી મુક્તિ

જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવી કાર્યવાહી

સારા વર્તનથી જેલમાંથી મળી મુક્તિ

પરિવારજનોમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમનું વર્તન ઉત્તમ રહ્યું હતું.

જેલ અધિક્ષકે જણાવ્યું હતું કેભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.)ની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી.એમ.ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેલ બહાર આવતા જ નવીન  પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી હતી.જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.