ભરૂચ : નર્મદા કોલેજના BBA ડિપાર્ટમેન્ટમાં ખાલી પડેલ સીટો પર વિદ્યાર્થીઓને એડમિશન આપવાની માંગ સાથે NSUIનો વિરોધ

VNSGU યુનિવર્સિટી દ્વારા ભરૂચ અને નર્મદા ઝોનમાં આવેલ નર્મદા કોલેજ માટે 150 અને અંકલેશ્વરની કડકીયા કોલેજ માટે 75 મળી કુલ 225 જ સીટ ફાળવવામાં આવી છે.

New Update

ભરૂચ જિલ્લો એ ઔદ્યોગિક અને વેપાર ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવે છે. જેથી ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ તેમની કારકિર્દી માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ ભરૂચ જિલ્લાની કમનસીબી એ છે કે, માત્ર 2 કોલેજમાં જ BBAનો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે, જેથી વિદ્યાર્થીઓને અન્ય જિલ્લામાં અભ્યાસ માટે જતાં ઘણી મુશ્કેલ પડી રહી છે.

VNSGU યુનિવર્સિટી દ્વારા ભરૂચ અને નર્મદા ઝોનમાં આવેલ નર્મદા કોલેજ માટે 150 અને અંકલેશ્વરની કડકીયા કોલેજ માટે 75 મળી કુલ 225 જ સીટ ફાળવવામાં આવી છે. આમ છતાં પણ નર્મદા કોલેજ દ્વારા ચાલતા પોતાના મનસ્વી વહીવટના કારણે 150માંથી માંડ અડધી સીટો પણ ભરવામાં આવી નથી. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે, જ્યારે વાલીઓને વિદ્યાર્થીઓ કોલેજના એડમિશન કમિટી પાસે આ બાબતે પૂછપરછ કરવા જાય છે, ત્યારે સરખો જવાબ નથી મળતો તેમજ ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવે છે. જેથી ભરૂચ જિલ્લા NSUI દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી નર્મદા કોલેજમાં BBA ડિપાર્ટમેન્ટમાં ખાલી પડેલ સીટો પર વિદ્યાર્થીઓને જલ્દી એડમિશન આપવામાં આવે, તેમજ વધુ એક વર્ગખંડની 75 સીટની માંગણી કરવામાં આવી છે. સમગ્ર મામલે આચાર્ય એ.કે.સિંગને રજૂઆત કરતા આચાર્ય દ્વારા કોલેજની અંદર પૂરતા સ્ટાફ અને પૂરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે નર્મદા કોલેજમાં BBA ડિપાર્ટમેન્ટમાં યુનિવર્સિટી દ્વારા ફાળવેલ 150 સીટમાંથી 75 સીટમાં જ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે તેમ જણાવ્યુ હતું. જોકે, NSUI દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે