Connect Gujarat
ભરૂચ

ભરૂચ : શ્રી જગન્નાથ સેવા સમિતિ-ઉત્કલિકા ઉડીયા એસો. દ્વારા ઉત્કલ દિવસ-2023ની ઉજવણી કરાય...

શ્રી જગન્નાથ સેવા સમિતિ-ભરૂચ અને ઉત્કલિકા ઉડીયા એસોસિએશન ભરૂચ દ્વારા ઉત્કલ દિવસ-2023ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

X

શ્રી જગન્નાથ સેવા સમિતિ-ભરૂચ અને ઉત્કલિકા ઉડીયા એસોસિએશન ભરૂચ દ્વારા ઉત્કલ દિવસ-2023ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ શહેરના કોલેજ રોડ પર આવેલ આત્મીયધામ ખાતે શ્રી જગન્નાથ સેવા સમિતિ ભરૂચ અને ઉત્કલિકા ઉડીયા એસોસિએશન ભરૂચ દ્વારા ઉત્કલ દિવસ-2023ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉત્કલ દિવસની ઉજવણીના ભાગરૂપે ઉડીયા સમાજના અગ્રણીઓ અને ભાઈ-બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓરિસ્સાની સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ નૃત્યકૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉડિયા સમાજના અગ્રણીઓ સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story