ભરૂચ : શ્રી જગન્નાથ સેવા સમિતિ-ઉત્કલિકા ઉડીયા એસો. દ્વારા ઉત્કલ દિવસ-2023ની ઉજવણી કરાય...
શ્રી જગન્નાથ સેવા સમિતિ-ભરૂચ અને ઉત્કલિકા ઉડીયા એસોસિએશન ભરૂચ દ્વારા ઉત્કલ દિવસ-2023ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
BY Connect Gujarat Desk2 April 2023 10:31 AM GMT
X
Connect Gujarat Desk2 April 2023 10:31 AM GMT
શ્રી જગન્નાથ સેવા સમિતિ-ભરૂચ અને ઉત્કલિકા ઉડીયા એસોસિએશન ભરૂચ દ્વારા ઉત્કલ દિવસ-2023ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ શહેરના કોલેજ રોડ પર આવેલ આત્મીયધામ ખાતે શ્રી જગન્નાથ સેવા સમિતિ ભરૂચ અને ઉત્કલિકા ઉડીયા એસોસિએશન ભરૂચ દ્વારા ઉત્કલ દિવસ-2023ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉત્કલ દિવસની ઉજવણીના ભાગરૂપે ઉડીયા સમાજના અગ્રણીઓ અને ભાઈ-બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓરિસ્સાની સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ નૃત્યકૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉડિયા સમાજના અગ્રણીઓ સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
Next Story