Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નેત્રંગના રમણપુરા ગામ નજીક માર્ગ પર પડેલા ખાડાથી બચવા જતાં તલાટીની કાર ડેમમાં ખાબકી, 3 લોકોના મોત

નેત્રંગ તાલુકાના રમણપુરા ગામ નજીક માર્ગ પડેલા મસમોટા ખાડાના કારણે તલાટી મહિલા સહિત એક જ પરિવારના 3 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ભરૂચ : નેત્રંગના રમણપુરા ગામ નજીક માર્ગ પર પડેલા ખાડાથી બચવા જતાં તલાટીની કાર ડેમમાં ખાબકી, 3 લોકોના મોત
X

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના રમણપુરા ગામ નજીક માર્ગ પડેલા મસમોટા ખાડાના કારણે તલાટી મહિલા સહિત એક જ પરિવારના 3 લોકોએ જીવ ગુમાવ્યો છે.

સમગ્ર રાજ્યમાં વરસાદના વિરામ બાદ હાલ તમામ માર્ગ અતિ બિસ્માર બન્યા છે. જ્યાં જુઓ ત્યાં રસ્તાઓની ખરાબ હાલત જોવા મળી રહી છે. બિસ્માર માર્ગના કારણે દરેક જગ્યાએ સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર પડેલા ખાડાઓના કારણે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના રમણપુરા ગામ નજીક તલાટી સહિત 3 લોકોના મોત નિપજ્યાં છે. તલાટી મહિલા સહિત એક જ પરિવારના 3 સભ્યોએ ખાડાના કારણે જીવ ગુમાવ્યો છે. કારચાલકે ખાડાથી બચવાનો પ્રયાસ કરવા જતા કાર ડેમના પાણીમાં ખાબકી હતી. આથી પરિવારના ત્રણેય સભ્યોના મોત નીપજ્યાં છે. તો બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે એક જ પરિવારના 3 સભ્યો મોતને ભેટ્યા હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે.

Next Story