ભરૂચ : જૂના સરદાર બ્રિજની એંગલ સાથે ટ્રેલર ભટકાતા ચાલકનું સારવાર દરમ્યાન મોત...
નેશનલ હાઈવે નંબર 48 પર ઉજ્જૈનથી નીકળેલા ટ્રેલરના ડ્રાઇવર બબલુ વર્માએ ભૂલથી દહેજની જગ્યાએ ન્યાય મંદિર ચોકડીથી ટ્રેલરને સરદાર બ્રિજ તરફ હંકારી લેતા જૂના સરદાર બ્રિજ પર લાગેલા એંગલમાં ટ્રેલર ભટકાયું હતું.
BY Connect Gujarat Desk22 Aug 2022 11:42 AM GMT
X
Connect Gujarat Desk22 Aug 2022 11:42 AM GMT
ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર ઉજ્જૈનથી નીકળેલા ટ્રેલરના ડ્રાઇવર બબલુ વર્માએ ભૂલથી દહેજની જગ્યાએ ન્યાય મંદિર ચોકડીથી ટ્રેલરને સરદાર બ્રિજ તરફ હંકારી લેતા જૂના સરદાર બ્રિજ પર લાગેલા એંગલમાં ટ્રેલર ભટકાયું હતું.
ભરૂચના જૂના સરદાર બ્રિજ પર ઉજજૈનથી દહેજ તરફ જવાના માર્ગના જગ્યાએ ભૂલથી ન્યાય મંદિર ચોકડીથી આગળ નીકળી જઈ સરદાર બ્રિજ પર ટ્રેલર નંબર MP-04-HE-7707 હંકારી જતા જૂના સરદાર બ્રિજ પર લાગેલ એંગલ સાથે ધડાકાભેર ટ્રેલર અથડાતા મધ્ય પ્રદેશના રહેવાસી ટ્રેલર ચાલક બબલુ વર્માને ગંભીર ઇજાઓ પોહોચવા પામી હતી, ત્યારે 108 એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્ત ચાલકને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અકસ્માતના પગલે પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Next Story