Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ પરથી મહિલાએ લગાવી મોતની છલાંગ, માછીમારો બચાવે તે પહેલા જ પાણીમાં ગરકાવ થઈ..

નર્મદા મૈયા બ્રિજ પરથી એક મહિલાએ મોત છલાંગ લગાવી હતી. જોકે, સામાજિક કાર્યકર અને સ્થાનીક માછીમારો તેને બચાવવા જાય તે પહેલાં જ તે પાણીમાં ગરકાવ થઈ

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ પરથી મહિલાએ લગાવી મોતની છલાંગ, માછીમારો બચાવે તે પહેલા જ પાણીમાં ગરકાવ થઈ..
X

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે આવેલા નર્મદા મૈયા બ્રિજ પરથી એક મહિલાએ મોત છલાંગ લગાવી હતી. જોકે, સામાજિક કાર્યકર અને સ્થાનીક માછીમારો તેને બચાવવા જાય તે પહેલાં જ તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ બનાવબી જાણ ફાયર બ્રિગેડ અને અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, ભરૂચના નર્મદા નદી ઉપર આવેલા નર્મદા મૈયા બ્રિજ પરથી સાંજના સમયે એક મહિલાએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. આ જોતા જ બ્રિજ પરથી પસાર થતાં લોકો દોડી આવ્યા હતા. પરંતુ નદીમાં પાણીનું વહેણ હોવાના કારણે મહિલા તણાવા લાગી હતી. આ બનાવ અંગેની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને થતાં તેઓ સ્થળ પર પહોચી ગામના માછીમારોનો સંપર્ક કરી મહિલાને બચાવવા માટે જાણ કરી હતી..

ત્યારે માછીમારો પણ દોડી આવી મહિલાને બચવવા માટે પહોંચ્યા હતા. પરંતુ આ મહિલા જોતજોતામાં જ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જોકે, ભારે જહેમતમી શોધખોળ બાદ પણ મહિલા મળી આવી નહોતી. ત્યારબાદ આ મમાલે સામાજિક કાર્યકર ધર્મેષ સોલંકીએ ફાયર બ્રિગેડ અને અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી.

Next Story