પોલીસની "પરેડ" : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ-અંકલેશ્વરમાં યોજાય પોલીસ વિભાગ દ્વારા પરેડ...
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ તેમજ અંકલેશ્વર ખાતે પોલીસ વિભાગ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસ દ્વારા યોજાયેલી પરેડે શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.
BY Connect Gujarat12 Aug 2022 11:35 AM GMT
X
Connect Gujarat12 Aug 2022 11:35 AM GMT
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ તેમજ અંકલેશ્વર ખાતે પોલીસ વિભાગ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસ દ્વારા યોજાયેલી પરેડે શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.
સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનને પુરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે. આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર તિરંગા યાત્રાના આયોજન કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ 3 તાલુકાઓમાં 15મી ઓગષ્ટ પૂર્વે પોલીસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર એ' ડિવિઝન પોલીસ મથકની હદમાં સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે પોલીસ દ્વારા પરેડ યોજાય હતી. આ પરેડમાં 4 પોલીસ પ્લા ટૂન, 1 હોમગાર્ડ પ્લાટૂન અને 1 GRD પ્લાટૂન જોડાય હતી. પોલીસની પરેડ યાત્રામાં દેશભક્તિના સૂર સાથે બેન્ડવાજા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
Next Story