સરકાર કોલ ઈન્ડિયા અને IDBI બેંકમાં હિસ્સો વેચશે

New Update
સરકાર કોલ ઈન્ડિયા અને IDBI બેંકમાં હિસ્સો વેચશે

કેન્દ્ર સરકાર વિશ્વની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ અને IDBI બેંકમાં હિસ્સો વેચવાનું વિચારી રહી છે. સરકાર આ હિસ્સો વેચી રૂ. 20 હજાર કરોડ એકત્ર કરશે. આ રકમનો ઉપયોગ કોરોનાથી પ્રભાવિત અર્થતંત્રને વેગ આપવા માટે જાહેર કરાયેલા રાહત પેકેજમાં કરવામાં આવશે.

Advertisment

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, હિસ્સેદારીનું વેચાણ શેર સેલથી કરવામાં આવશે. જોકે, તે માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર આધારિત છે. કોલ ઇન્ડિયાના મામલે, જો આકર્ષક વેલ્યુએશન ન મળે તો કંપની સરકાર પાસેથી શેર બાયબેક કરી શકે છે. કોરોનાને કારણે કેન્દ્ર સરકારનું બજેટ લક્ષ્યાંક ખોરવાયું છે. લોકડાઉનના કારણે સરકારે વેલ્ફેર કાર્યક્રમો પર વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત અર્થતંત્રમાં રિકવરી લાવવા માટે પણ સરકાર સંઘર્ષ કરી રહી છે.

ફેબ્રુઆરીમાં રજુ થયેલા બજેટમાં કેન્દ્ર સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટથી રૂ. 2.1 લાખ કરોડ ભેગા કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. આ લક્ષ્યાંક ગત વર્ષ કરતાં બમણો છે.

ગયા વર્ષે, સરકારની વીમા કંપની લાઇફ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન લિમિટેડે IDBI બેંકમાં 51% હિસ્સો ખરીદ્યો હતો. આ ખરીદી બાદ સરકારની બેંકમાં 47% હિસ્સો હતો. કોલ ઈન્ડિયામાં 66% હિસ્સો છે. જાન્યુઆરી 2015માં સરકારે કોલ ઈન્ડિયામાં 10% હિસ્સો વેચ્યો હતો. સરકારને આ વેચાણમાંથી રૂ. 22,550 કરોડ મળ્યા છે.

Read the Next Article

BCCI એ એક મહત્વપૂર્ણ લીધો નિર્ણય, સ્થાનિક ક્રિકેટ સિઝન માટે નવા રિપ્લેસમેન્ટ નિયમો લાગુ કરવાની જાહેરાત કરી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં રિપ્લેસમેન્ટ નિયમ પર થયેલા વિવાદ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

New Update
scss

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં રિપ્લેસમેન્ટ નિયમ પર થયેલા વિવાદ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

BCCI એ હવે પોતાની સ્થાનિક ક્રિકેટ સિઝન માટે નવા રિપ્લેસમેન્ટ નિયમો લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નિયમો ખાસ કરીને લાઈક-ફોર-લાઈક રિપ્લેસમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ નિયમથી ભારતીય ક્રિકેટમાં એક મોટો બદલાવ આવશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી 2025-26 ની સ્થાનિક ક્રિકેટ સિઝનથી રેડ-બોલ મેચોમાં નવા રિપ્લેસમેન્ટ નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમ ICC ના કન્કશન સબસ્ટિટ્યુટ નિયમ જેવો જ છે. હવે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ખેલાડી માટે ફક્ત લાઈક-ફોર-લાઈક રિપ્લેસમેન્ટની જ મંજૂરી આપવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં રિષભ પંત અને ક્રિસ વોક્સના કેસ પછી લેવામાં આવ્યો છે. આ નિયમ હાલમાં માત્ર રેડ-બોલ અને અંડર-19 CK નાયડુ ટ્રોફીમાં લાગુ થશે, જ્યારે વ્હાઇટ-બોલ ટુર્નામેન્ટમાં નહીં.

Latest Stories