Connect Gujarat
ધર્મ દર્શન 

આજે કામદા એકાદશી અને શનિવારનો શુભ સંયોગ,આ ઉપાયોથી મેળવો ભગવાન વિષ્ણુના આશીર્વાદ

ધાર્મિક માન્યતાઓ અનુસાર કામદા એકાદશી વ્રતના દિવસે પૂજા કરવાથી ભક્તોના તમામ દુ:ખ દૂર થાય છે.

આજે કામદા એકાદશી અને શનિવારનો શુભ સંયોગ,આ ઉપાયોથી મેળવો ભગવાન વિષ્ણુના આશીર્વાદ
X

આજે નવા વર્ષ 2080નું પ્રથમ કામદા એકાદશી વ્રત મનાવવામાં આવી રહ્યું છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કામદા એકાદશી વ્રતના દિવસે પૂજા કરવાથી ભક્તોના તમામ દુ:ખ દૂર થાય છે.

કહેવાય છે કે ચૈત્ર મહિનાની સુદ પક્ષની કામદા એકાદશી અને સાથે સાથે શનિવારનો શુભ સયોગ સાથે શનિદેવની વિશેષ પુજા કરવાનું પણ મહત્વ રહેલું છે.

કામદા એકાદશી પર કરો આ ઉપાયો :-

- જીવનમાં ઉદ્ભવતી આર્થિક તંગીને દૂર કરવા માટે કામદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના બીજ મંત્ર 'ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ'ના 5 વખત જાપ કરો. આ દિવસે જરૂરિયાતમંદોને ભોજન અને પૈસાનું દાન પણ કરો.

- કામદા એકાદશી પર તુલસીના 5 પાન પર હળદર લગાવો અને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. આ સમયગાળામાં ઓમ ભૂરિદા ત્યાસી શ્રુતઃ પુરુત્ર શૂર વૃત્રાહં. મંત્રનો જાપ કરો.

- લગ્ન સંબંધી અવરોધોને દૂર કરવા માટે કામદા એકાદશીનું વ્રત રાખો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો. આ સાથે ભક્તોએ ભગવાન વિષ્ણુને બે આખી હળદર અર્પણ કરવી જોઈએ અને ઓછામાં ઓછા 108 વાર 'ઓમ કેશવાય નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.

- કાર્યક્ષેત્રમાં આવતા અવરોધોને દૂર કરવા માટે સાધકે કામદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ઓછામાં ઓછા 11 પીળા રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ. આ સાથે પૂજા સમયે શ્રી વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો. પછી વ્રતના બીજા દિવસે આ ફૂલોને આદરપૂર્વક જળમાં વહેવા દો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને લક્ષ્ય પ્રાપ્ત કરવું સરળ બને છે.આજે કામદા એકાદશી અને શનિવારનો શુભ સંયોગ,આ ઉપાયોથી મેળવો ભગવાન વિષ્ણુના આશીર્વાદ

Next Story