Connect Gujarat
મનોરંજન 

કિશન ભરવાડ હત્યા કેસ: બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતે પોસ્ટ શેર કરી વાંચો શું કહ્યું?

ગુજરાતમાં હાલમાં કિશન ભરવાડ હત્યા કેસને લઈ રાજકારણ ગરમ છે.

કિશન ભરવાડ હત્યા કેસ: બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતે પોસ્ટ શેર કરી વાંચો શું કહ્યું?
X

ગુજરાતમાં હાલમાં કિશન ભરવાડ હત્યા કેસને લઈ રાજકારણ ગરમ છે. હવે બોલિવૂડમાંથી સૌ પહેલાં એક્ટ્રેસ કંગના રનૌતે કિશન ભરવાડ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડની થોડાં સમય પહેલાં જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કંગનાએ કહ્યું હતું, 'ફેસબુક પોસ્ટને કારણે કિશન ભરવાડની હત્યા મસ્જિદ તથા મૌલવીએ આયોજનબદ્ધ રીતે કરી છે

કારણ કે તેઓ વિચારતા હતા કે ભગવાનને આ પોસ્ટ નહીં ગમે અને તેમણે ભગવાનના નામે તેને મારી નાખ્યો. આપણે કોઈ મધ્ય યુગમાં જીવતા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. કિશન માંડ 27 વર્ષનો હતો અને તેને બે મહિનાની દીકરી હતી. તેને પોસ્ટ ડિલિટ કરવાનું તથા માફી માગવાનું કહેવામાં આવ્યું હતું અને તેણે તેમ કર્યું હોવા છતાંય ચાર માણસોએ તેની ઘાતકી હત્યા કરી નાખી. તે શહીદથી સહેજ પણ ઓછો નથી. તે દરેકની સ્વતંત્રતા માટે મૃત્યુ પામ્યો છે, આવા જ લોકો દેશને અફઘાનિસ્તાન બનાવતા અટકાવી રહ્યા છે. તેની વિધવાને પેન્શન મળવું જ જોઈએ. ઓમ શાંતિ.'

Next Story