Connect Gujarat
મનોરંજન 

લાલ સિંહ ચઢ્ઢાઃ વિરોધ બાદ આમિર ખાને ફિલ્મમાં કર્યો ફેરફાર, શું બોયકોટની માંગની છે અસર?

આમિર ખાન લાલ સિંહ ચઢ્ઢા સાથે લગભગ ચાર વર્ષ પછી મોટા પડદા પર પાછા ફરવા માટે તૈયાર છે. લાલ સિંહ ચઢ્ઢામાં આમિર ખાન સાથે કરીના કપૂર પણ જોવા મળશે.

લાલ સિંહ ચઢ્ઢાઃ વિરોધ બાદ આમિર ખાને ફિલ્મમાં કર્યો ફેરફાર, શું બોયકોટની માંગની છે અસર?
X

આમિર ખાન લાલ સિંહ ચઢ્ઢા સાથે લગભગ ચાર વર્ષ પછી મોટા પડદા પર પાછા ફરવા માટે તૈયાર છે. લાલ સિંહ ચઢ્ઢામાં આમિર ખાન સાથે કરીના કપૂર પણ જોવા મળશે. લાંબી રાહ જોયા બાદ આ ફિલ્મ રક્ષાબંધન પર સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. આમિર ખાનના ચાહકો જે તેની ફિલ્મો માટે મહિનાઓ સુધી રાહ જોતા હતા, જેમની ફિલ્મો જોવા માટે તેની ટિકિટ બ્લેકમાં વેચાતી હતી, તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવતા હતા. પરંતુ લાલ સિંહ ચઢ્ઢા સાથે આવું કંઈ નથી થઈ રહ્યું, બલ્કે ચાહકો આ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે.

આમિર ખાન લાલ સિંહ ચઢ્ઢાના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે લોકોને આ ફિલ્મનો બહિષ્કાર ન કરવાની અપીલ કરી રહ્યો છે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન આમિર ખાને મીડિયા સાથે વાતચીત કરી અને પોતાની ફિલ્મમાં કરવામાં આવેલા ફેરફારો વિશે જણાવ્યું. આમિર ખાને કહ્યું કે ફિલ્મના સાઉથ સ્ક્રીનિંગમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

આમિર ખાને તેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા સાઉથના સુપરસ્ટાર એસએસ રાજામૌલી, નાગાર્જુન અને ચિરંજીવીને બતાવી. તેણે આ ફિલ્મ વિશે સાઉથ સ્ટારની પ્રતિક્રિયા લીધી. જે બાદ આમિર ખાને કહ્યું કે જો હિન્દી દર્શકો તેલુગુ, તમિલ અને અન્ય ભાષાઓમાં ફિલ્મોને આવકારી શકે છે તો તેને ખાતરી છે કે દક્ષિણના દર્શકોને તેની ફિલ્મો ચોક્કસ ગમશે.લાલ સિંહ ચઢ્ઢાઃ વિરોધ બાદ આમિર ખાને ફિલ્મમાં કર્યો ફેરફાર, શું બોયકોટની માંગની છે અસર?

આમિર ખાને કહ્યું કે આ ફિલ્મના એક તબક્કે સાઉથના તમામ સ્ટાર્સની એક જ પ્રતિક્રિયા હતી. આમિરે કહ્યું કે તે મુદ્દો હું તમને કહી શકતો નથી, પરંતુ તે પછી અમે લાલ સિંહ ચડ્ઢામાં કેટલાક ફેરફારો કર્યા અને તે બદલાવ એકદમ સાચો હતો. આમિર ખાને કહ્યું કે અમે ફિલ્મના સ્ક્રિનિંગ પછી એક વસ્તુ બદલી છે. જોકે, તેણે ફિલ્મમાં કરવામાં આવેલા ફેરફારો વિશે જણાવ્યું ન હતું. તમને જણાવી દઈએ કે લાલ સિંહ ચઢ્ઢા 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Next Story