Connect Gujarat
ગુજરાતની ચૂંટણીની ગપશપ

પારિવારિક રાજકીય ડ્રામાનો નાટકીય અંત ,આ બેઠક પર પિતા સામે પુત્રએ ઉમેદવારી પરત ખેંચી

ભરૂચની ઝઘડિયા બેઠક પર પિતા પુત્ર વચ્ચેના જંગમાં પુત્ર મહેશ વસાવાએ પિતા છોટુ વસાવા સામે BTPમાંથી ઉમેદવારી પરત ખેંચી લેતા પારિવારિક રાજકીય ડ્રામાનો નાટકીય અંત આવ્યો છે.

X

ભરૂચની ઝઘડિયા બેઠક પર પિતા પુત્ર વચ્ચેના જંગમાં પુત્ર મહેશ વસાવાએ પિતા છોટુ વસાવા સામે BTPમાંથી ઉમેદવારી પરત ખેંચી લેતા પારિવારિક રાજકીય ડ્રામાનો નાટકીય અંત આવ્યો છે.

ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક ઉપર છેલ્લા 17 દિવસથી ચાલતા પારિવારિક વિખવાદનો આજે ગુરૂવારે અંત આવ્યો છે.પિતા છોટુભાઈ વસાવા માટે પુત્ર મહેશ વસાવાએ BTP માંથી પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે.આદિવાસી ઝઘડિયા બેઠક ઉપર 35 વર્ષથી અજય અને એક હથ્થું શાસન કરતા છોટુ વસાવા ફરી સુપ્રીમો સાબિત થયા છે. તેમણે 6 નવેમ્બર અને 11 નવેમ્બરે કહેલું કથન સાચું ઠર્યું છે. તેઓએ અગાઉ કહ્યું હતું કે, જીવીશ ત્યાં સુધી ચૂંટણી લડીશ.જે બાદ પુત્ર મહેશ વસાવાએ તેમની ઝઘડિયા બેઠક પરથી BTP માંથી ઉમેદવારી કરતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. અને અને કહ્યું હતું કે, હું જ્યાં ઉભો રહું છું ત્યાં પક્ષ -પાર્ટી બની જાય છે. ઝઘડિયા બેઠક ઉપર પિતા છોટુ વસાવા સામે મોટા પુત્ર મહેશ વસાવા એ BTP અને નાના પુત્ર દિલીપ વસાવા એ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

આજે ફોર્મ પરત ખેંચનાર BTP રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ જણાવ્યું હતું કે મેં મારી ઉમેદવારી અમારા મસીહા છોટુભાઈ વસાવા માટે પરત ખેંચી લીધી છે. તેઓ ગરીબોના આઇકોન છે. અને આદિવાસી સુપ્રીમો સામે ભાજપ, કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષનો ઉમેદવાર ટકી ન શકે. તેઓ માટે મેં મારી ઉમેદવારી ચૂંટણી જંગમાંથી પરત ખેંચી છે અને તેમના માટે હવે અમે પ્રચાર-પ્રસારમાં જોડાઇ ગયા છીએ.

Next Story