રાજ્યમાં આજે 298 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 5 દર્દીના મોત

રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 298 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 5 દર્દીના મોત થયા છે.

New Update

રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 298 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 5 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10012 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 935 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 98.98 ટકા છે.

Advertisment

ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 2,18,062 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 803122 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 8242 પર પહોંચ્યો છે. જેમાંથી 209 દર્દી વેન્ટિલેટર પર અને 8033 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 98.98 ટકા છે.

રાજ્યમાં ફરી એકવાર કોરોના વેક્સિનની પ્રક્રિયા સ્પીડથી શરૂ થઇ છે. આજના આંકડા પ્રમાણે જોઇએ તો 2,18,062 લોકોએ કોરોનાની વેક્સિન લીધી છે, આ રસીકરણમાં ખાસ વાત છે કે 1,62,941 લોકો 18-44એ પહેલો ડૉઝ લીધો છે.

Advertisment
Latest Stories