રાજ્યમાં આજે 298 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 5 દર્દીના મોત

રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 298 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 5 દર્દીના મોત થયા છે.

New Update

રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 298 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 5 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10012 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 935 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 98.98 ટકા છે.

ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 2,18,062 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 803122 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 8242 પર પહોંચ્યો છે. જેમાંથી 209 દર્દી વેન્ટિલેટર પર અને 8033 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 98.98 ટકા છે.

રાજ્યમાં ફરી એકવાર કોરોના વેક્સિનની પ્રક્રિયા સ્પીડથી શરૂ થઇ છે. આજના આંકડા પ્રમાણે જોઇએ તો 2,18,062 લોકોએ કોરોનાની વેક્સિન લીધી છે, આ રસીકરણમાં ખાસ વાત છે કે 1,62,941 લોકો 18-44એ પહેલો ડૉઝ લીધો છે.

Read the Next Article

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના, ટાટા ગ્રુપ બાદ હવે AIR INDIAએ પણ સહાય આપવાની કરી જાહેરાત

અમદાવાદમાં જૂન 12 ના રોજ થયેલી દુ:ખદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે ટાટા ગ્રુપ દ્વારા વળતરની જાહેરાત કરાયા બાદ હવે AIR INDIA એ પણ સહાય આપવાની જાહેરાત કરી છે.

New Update
Air India Pilot

અમદાવાદમાં જૂન 12 ના રોજ થયેલી દુ:ખદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે ટાટા ગ્રુપ દ્વારા વળતરની જાહેરાત કરાયા બાદ હવે AIR INDIA એ પણ સહાય આપવાની જાહેરાત કરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો અને ઘાયલોને ₹25 લાખ (અંદાજે 21,000 GBP) ની વચગાળાની રકમ આપવામાં આવશે.

અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ  થયેલા આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી 241 લોકોના દુર્ખદ અવસાન થયા હતા. આ વિમાન એક હોસ્પિટલના હોસ્ટેલ  પર પડ્યું હતું, જેના કારણે ત્યાં રહેતા ઘણા લોકો મૃત્યુ પામ્યા અને ઘણા ઘાયલ થયા.

AIR INDIA એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં વળતરની જાહેરાત કરતા જણાવ્યું કે, "તાજેતરના અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારો સાથે એર ઇન્ડિયા એકતામાં ઉભી છે. આ અવિશ્વસનીય મુશ્કેલ સમયમાં સંભાળ અને સહાય પૂરી પાડવા માટે અમારી ટીમો તમામ પ્રયાસો કરી રહી છે."

AIR INDIA એ તેની પોસ્ટમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "અમારા સતત પ્રયાસોના ભાગ રૂપે, એર ઇન્ડિયા (Air India) તાત્કાલિક નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે મૃતકો અને બચી ગયેલા લોકોના પરિવારોને ₹25 લાખ અથવા આશરે 21,000 GBP ની વચગાળાની ચુકવણી (Interim Payment) કરશે."

મહત્વપૂર્ણ છે કે, આ સહાય ટાટા સન્સ દ્વારા પહેલાથી જ જાહેર કરાયેલ ₹1 કરોડ અથવા આશરે 85,000 GBP સહાય ઉપરાંત છે. AIR INDIA એ વધુમાં જણાવ્યું કે આ અકસ્માત પછી થયેલા નુકસાનથી તેઓ બધા દુઃખી છે.

ટાટા ગ્રુપે આ દુર્ઘટના અંગે અગાઉ જ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, "આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ટાટા ગ્રુપ  ₹1 કરોડનું વળતર આપશે. અમે ઘાયલોના તબીબી ખર્ચનો પણ ભોગ લઈશું અને ખાતરી કરીશું કે તેમને જરૂરી તમામ સંભાળ અને સહાય મળે. વધુમાં, અમે બી.જે. મેડિકલ ના હોસ્ટેલના  નિર્માણમાં સહાય પૂરી પાડીશું. આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઉભા છીએ."



 

Latest Stories