Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં કૃષિ પાકને થયેલ નુકસાનને લઈ સરકારનો મોટો નિર્ણય

રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે કૃષિ પાકને થયેલા નુકસાન માં ખેડૂતોને સહાય ચૂકવાશે. ખેડૂતોના પાકને 33%થી વધુ નુકસાનીમાં જ સરકાર સહાય ચૂકવશે.

રાજ્યમાં કૃષિ પાકને થયેલ નુકસાનને લઈ સરકારનો મોટો નિર્ણય
X

રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે કૃષિ પાકને થયેલા નુકસાન માં ખેડૂતોને સહાય ચૂકવાશે. ખેડૂતોના પાકને 33%થી વધુ નુકસાનીમાં જ સરકાર સહાય ચૂકવશે. એ માટે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં સર્વે પણ શરૂ કરી દેવાયો છે.

સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર સહાય નું પેકેજ જાહેર કરશે. કારણ કે હાલમાં કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યા ન હોવાથી સર્વેની કામગીરી અટકી ગઇ છે. ખેડૂતોને 33%થી વધુ નુકસાન હોવા પર વિશેષ સહાય પેકેજની સરકાર દ્વારા વિચારણા કરાશે રાજ્યમાં મહેસૂલ, કૃષિ અને નાણા વિભાગના સંકલનમાં સહાય પેકેજ નક્કી કરશે. 33%થી વધુ નુકસાનીમાં SDRFના નિયમોને આધારિત સહાય ચૂકવાશે. જો કે, બિયારણ નું ધોવાણ થવા પર સરકાર દ્વારા સહાય નહીં ચૂકવવામાં આવે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘ તાંડવ ની સ્થિતિ જોવા મળી રહી છે. એમાંય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો ભારે વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકસાન થયું છે. જેને લઈને કૃષિ વિભાગે નુકસાનીનો સર્વે કરવા આદેશ આપ્યો છે.રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ગ્રસ્ત વિસ્તારમાં પાકની નુકશાની સર્વે કરાશે. દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકને થયેલા નુકશાન ની પણ સર્વે કરાશે. આ વિસ્તારોમાં ભારે વરસાદથી ચીકુ, કેરી, મગફળી, કેળ અને તેલીબિયાંના પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે સર્વે થઈ ગયા બાદ તંત્ર દ્વારા કેટલું પેકેજ જાહેર કરવામાં આવશે તેના પર સૌ ખેડૂતોની નજર મંડરાયેલી રહેશે.

Next Story