અમદાવાદ: વૈષ્ણવદેવી જંકશન પર બનેલાં ફલાયઓવરનું લોકાર્પણ, વાહનચાલકોને રાહત

ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બ્રિજનું લોકાર્પણ, 28 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયો છે ફલાયઓવર.

New Update
અમદાવાદ: વૈષ્ણવદેવી જંકશન પર બનેલાં ફલાયઓવરનું લોકાર્પણ, વાહનચાલકોને રાહત

અમદાવાદમાં વધી રહેલી જનસંખ્યા તથા વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે વિવિધ સ્થળોએ ફલાયઓવર બનાવવામાં આવી રહયાં છે. વૈષ્ણવદેવી જંકશન ખાતે બનેલાં ફલાયઓવર બ્રિજને સોમવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લો મુકાયો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહે ગાંધીનગર - સરખેજ હાઇવે પર રૂપિયા 28 કરોડના ખર્ચે દોઢ કિલોમીટર લાંબા ફ્લાય ઓવર બ્રિજનું ઉદઘાટન કર્યું છે. મહત્વનું છે કે આ ફ્લાયઓવર બ્રીજ ના કારણે ટ્રાફિકની સમસ્યા દેર થઈ જશે. 2016માં સરખેજ -ગાંધીનગર હાઇવે ઉપર 6 ઓવરબ્રિજ બનાવવાની મંજુરી મળી હતી જેના માટે 867 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. નવેમ્બર 2020 માં 6 પૈકી 2 ફલાય ઓવર ખુલ્લા મુકવામાં આવ્યા હતા. વૈષ્ણોદેવી સર્કલ પર ગાંધીનગર- અમદાવાદ ને જોડતો 1.5 કિલોમીટર લાંબો બ્રિજ આવતીકાલ મંગળવારના રોજથી વાહનવ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવશે.

Read the Next Article

જૂનાગઢ : વિસાવદરમાં પેટા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 54.61 ટકા નોંધાયું મતદાન

વિસાવદર તેમજ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાંજે 5 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 54.61 અને કડીમાં 54.49 ટકા મતદાન થયું

New Update
Visavar by election

જૂનાગઢ જિલ્લાની વિસાવદર તેમજ મેહસાણાની કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાંજે 5 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 54.61 અને કડીમાં 54.49 ટકા મતદાન થયું હતું.એકાદ ઘટનાને બાદ કરતા બંને બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. 

જૂનાગઢ જિલ્લાની વિસાવદર અને મહેસાણાની કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા પાછળ બે અલગ અલગ કારણ છે. વિસાવદરમાં વર્ષ 2022માં પહેલી વખત આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતાજોકે જીત પછી ભાજપના હર્ષદ રીબડિયાએ તેમના વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ લગાવ્યો હતો.

પિટિશન દરમિયાન ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયાજેના પરિણામે વિસાવદર બેઠક ખાલી થઈ હતી. હર્ષદ રીબડિયાએ પિટિશન પાછી ખેંચતા પેટાચૂંટણી માટેનો માર્ગ ખુલ્લો થયો હતો. તો બીજી તરફ કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કરશન સોંલકીનું નિધન થતાં આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

આજરોજ યોજાયેલા વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.જેમાં જાણવા મળ્યા મુજબ સાંજના 5 કલાક સુધીમાં વિસાવદરમાં 54.61 ટકા જ્યારે કડીમાં 54.49 ટકા મતદાન નોંધાયું હતું,અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા સાંજે 6 કલાક દરમિયાન 60 ટકા જેટલું મતદાન નોંધાવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.અને ભાજપ,કોંગ્રેસ તેમજ આપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠા ભર્યો જંગ બની ગયો છે.

Latest Stories