અમદાવાદ નવા 3 ફોજદારી કાયદા અંગે સાણંદ પોલીસ દ્વારા માર્ગદર્શન શિબિર યોજાય

દેશના આઈપીસી, ક્રિમિનલ પ્રોસિઝર કોડ તેમજ ભારતીય પુરાવાઓનો કાયદો જેવા અંગ્રેજોના સમયના અમલમાં રહેલા જૂના કાયદાઓ નાબૂદ કરીને તેના સ્થાને નવા કાયદાઓ અમલમાં મુકવામાં આવનાર છે

New Update

અંગ્રેજોના સમયના અમલમાં રહેલા જૂના કાયદાઓ નાબૂદ

તા. 1 જુલાઈ 2024થી અમલમાં નવા 3 ફોજદારી કાયદા

કાયદા અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત માર્ગદર્શન શિબિર

માર્ગદર્શન શિબિરમાં ગ્રામ્ય પોલીસ મહા અધિક્ષક ઉપસ્થિત

શિબિર દરમ્યાન મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ જોડાયા

અમદાવાદ જિલ્લાના સાણંદGIDC વિસ્તાર સ્થિત મેક્સિસ કંપની ખાતે ગ્રામ્ય-જિલ્લા પોલીસ તેમજ સાણંદ પોલીસ દ્વારા નવા 3 ફોજદારી કાયદા અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત સરકાર દ્વારા દેશના આઈપીસીક્રિમિનલ પ્રોસિઝર કોડ તેમજ ભારતીય પુરાવાઓનો કાયદો જેવા અંગ્રેજોના સમયના અમલમાં રહેલા જૂના કાયદાઓ નાબૂદ કરીને તેના સ્થાને નવા કાયદાઓ અમલમાં મુકવામાં આવનાર છે. જેમાં ભારતીય ન્યાય સંહિતાભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વિગેરે જેવા કાયદાઓ તા. 1 જુલાઈ 2024થી અમલમાં મુકવામાં આવ્યા છે..

ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદGIDC વિસ્તાર સ્થિત મેક્સિસ કંપની ખાતે ગ્રામ્ય-જિલ્લા પોલીસ તેમજ સાણંદ પોલીસ દ્વારા નવા કાયદા અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત માર્ગદર્શન શિબિર યોજાય હતી. જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય પોલીસ મહા અધિક્ષક ઓમ પ્રકાશ જાટ તેમજ કાયદા એક્ટના એક્સપર્ટ હાઇકોર્ટના એડવોકેટ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કેલોકોમાં નવા કાયદા વિશે જાણકારી અને જાગૃતતા લાવવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ મહા અધિક્ષક ઓમ પ્રકાશ જાટડીવાયએસપી નીલમ ગોસ્વામીસાણંદ જીઆઇડીસીPI જે.આર.ઝાલા, PSI એસ.એસ.શેખ, PSI જે.એલ.રાયકા તેમજ પોલીસ સ્ટાફમેક્સિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓનર વુ જ્યુનલીનશાળાના વિદ્યાર્થીઓઆસપાસના વિસ્તારના ગામના આગેવાનોસરપંચો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અમરેલી : ધારીના પ્રેમપરામાં પ્રોહિબિશન અને પાસાના આરોપીએ કરેલા દબાણ પર તંત્રે ચલાવ્યું બુલડોઝર

ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વો સામે સરકાર દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવે છે.જે અંતર્ગત અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં પ્રેમપરા વિસ્તારમાં પણ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી

New Update
  • ધારીમાં તંત્રની અસામાજિક તત્વો સામે કાર્યવાહી

  • પ્રેમપરામાં ગેરકાયદેસર મિલકત પર ચાલ્યું બુલડોઝર

  • પ્રીહિબીશન અને પાસાના આરોપીનું મકાન તોડી પાડ્યું

  • સરકારી જગ્યામાં બાંધકામ કરીને કર્યું હતું દબાણ

  • પોલીસ બંદોબસ્ત સાથે ધાર્મિક દબાણ પણ કરાયું દૂર

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના પ્રેમપરા વિસ્તારમાં પ્રોહિબિશન અને પાસાના આરોપી દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણને તંત્ર દ્વારા બુલ્ડોઝરથી તોડી પાડવામાં આવ્યું હતું,જેના કારણે અસામાજિક તત્વો અને દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વો સામે સરકાર દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવે છે.જે અંતર્ગત અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં પ્રેમપરા વિસ્તારમાં પણ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં માવજી પુના વાઘેલા કે જે પ્રોહિબિશન અને પાસાનો આરોપી છે,તેના દ્વારા સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું,જે મકાનને તંત્ર દ્વારા જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું.આ ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લેન પરા વિસ્તારમાં ધાર્મિક દબાણ પણ તોડીને દૂર કરવામાં આવ્યું હતું.તંત્રની કાર્યવાહીના પગલે અસામાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.