અમદાવાદ: બાંધકામ સાઈટ પાછળ બંગલાની દીવાલનો ભાગ ધરાશાયી,સદનસીબે કોઈ જાનહાની નહીં
મણિનગરમાં બાંધકામ સાઈટ પાછળ બંગલા ની દીવાલનો ભાગ ધરાશાયી થવાની ઘટના બની છે. મંગળવારે રાત્રે બંગલા પાછળનો 10 ફૂટ જેટલો ભાગ ધસી પડવાની ઘટના બની હતી.
મણિનગરમાં બાંધકામ સાઈટ પાછળ બંગલા ની દીવાલનો ભાગ ધરાશાયી થવાની ઘટના બની છે. મંગળવારે રાત્રે બંગલા પાછળનો 10 ફૂટ જેટલો ભાગ ધસી પડવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની જાણ થતાં રહેવાસીઓ પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા અને રાત ઘરની બહાર જ વિતાવી હતી.
આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.આ ઘટના ધર્મન બંગ્લોઝ, રમણનગર બંગલો નંબર 1, 2માં વધારે નુકસાન થયું છે. ચાર બંગલા ને જોડતી 10 ફૂટની દીવાલ તૂટી પડવાની ઘટના બની છે. બનાવ બનતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. આ ઘટના બનતા બંગલામાં રહેતા લોકોમાં ફફડાટ પેસી જતા પોતાના ઘરમાં જતા ડરતા હતા જેના કારણે તેમણે આખી રાત ઘરની બહાર જ વિતાવી હતી. દીવાલ પડવાની ઘટના બાદ લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. તેમણે આ ઘટના અંગે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે ઘરમાં એવી હાલત છે કે પગ મૂકતા પણ ડર લાગે છે. અમારા ઘરને પણ સીલ મારવામાં આવ્યું છે તો હવે અમારે શું કરવાનું? તેવો સવાલ અહીંના રહેવાસી કરી રહ્યા છે. આ ઘટના બાદ એન્જિનિયર, ડૉક્ટર સહિતના તમામ લોકો ભાગી ગયા છે. હોસ્પિટલના બાંધકામ સમયે આ ઘટના બની હતી. દુર્ઘટના બન્યા બાદ AMC દ્વારા તાત્કાલિક પગલાં ભરીને કંસ્ટ્રક્શન સાઈટ સીલ કરી દેવાનો નિર્ણય લીધો છે.