/connect-gujarat/media/post_banners/6ac5d02a1e250fc79ee9be298673ef1f798443dbf3bde88f191032607f5cc845.jpg)
અમરેલીના ચલાલા નજીક આવેલ માણાવાવ ગામના ગૌચરને સરકારી પડતરના વિસ્તારમાં લાગેલી વિકરાળ આગ લાગી જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબુમાં લીધી... જેમાં 2 સિંહબાળ સાથે સિંહણનો આબાદ બચાવ થયો...
ચલાલાના માણાવાવના રેવેન્યુ વિસ્તારના સરકારી અને ગૌચરની જમીન પર અચાનક જ વિકરાળ આગ લાગતા તંત્ર અને ફાયરવિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. અને ભારે જહેમત બાદ મોડી રાત્રે આગ કાબુમાં લેવાઈ હતી. અંદાજે 8 હેકટરમાં આગ લાગી હોવાનું મામલતદાર દ્વારા જણાવાયુ હતું. જેમાં માણાવાવના ડુંગરાળ વિસ્તારમાં 1 સિંહણ તેના 2 સિંહબાળ સાથે રહેતી હતી. જે આગથી દૂર ડુંગર પર જઇ ચડી હતી. સિંહોનો આબાદ બચાવ થતા તંત્ર અને સિંહપ્રેમીઓએ હાશકારો અનુભવ્યો હતો.