અમરેલી : માણાવાવ ગામમાં 8 હેક્ટરમાં આગ બેકાબૂ બની, સિંહણ અને 2 બાળસિંહોનો આબાદ બચાવ
અમરેલીના ચલાલા નજીક આવેલ માણાવાવ ગામના ગૌચરને સરકારી પડતરના વિસ્તારમાં લાગેલી વિકરાળ આગ લાગી જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબુમાં લીધી
BY Connect Gujarat30 March 2022 7:01 AM GMT
X
Connect Gujarat30 March 2022 7:01 AM GMT
અમરેલીના ચલાલા નજીક આવેલ માણાવાવ ગામના ગૌચરને સરકારી પડતરના વિસ્તારમાં લાગેલી વિકરાળ આગ લાગી જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબુમાં લીધી... જેમાં 2 સિંહબાળ સાથે સિંહણનો આબાદ બચાવ થયો...
ચલાલાના માણાવાવના રેવેન્યુ વિસ્તારના સરકારી અને ગૌચરની જમીન પર અચાનક જ વિકરાળ આગ લાગતા તંત્ર અને ફાયરવિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. અને ભારે જહેમત બાદ મોડી રાત્રે આગ કાબુમાં લેવાઈ હતી. અંદાજે 8 હેકટરમાં આગ લાગી હોવાનું મામલતદાર દ્વારા જણાવાયુ હતું. જેમાં માણાવાવના ડુંગરાળ વિસ્તારમાં 1 સિંહણ તેના 2 સિંહબાળ સાથે રહેતી હતી. જે આગથી દૂર ડુંગર પર જઇ ચડી હતી. સિંહોનો આબાદ બચાવ થતા તંત્ર અને સિંહપ્રેમીઓએ હાશકારો અનુભવ્યો હતો.
Next Story