Connect Gujarat
ગુજરાત

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પાલનપૂર સર્કિટ હાઉસમાંથી આસામ પોલીસે કરી ધરપકડ,વાંચો શું છે મામલો

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પાલનપૂર સર્કિટ હાઉસમાંથી આસામ પોલીસે કરી ધરપકડ,વાંચો શું છે મામલો
X

વડગામના MLA જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી છે. મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી મોડી રાતે 11.30 વાગ્યે ધરપકડ કરવામાં આવી હોવાનું મેવાણીની ટીમે જણાવ્યું હતું. આસામમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યાં છે. જો કે પોલીસે હજુ FIRની નકલ આપી નથી તેથી કયા કેસમાં મેવાણીની ધરપકડ કરાઈ એ હાલ જાણી શકાયું નથી. આસામ પોલીસે કેટલાક કેસો અંગે મેવાણીની ધરપકડ કરી હોવાની હાલ માહિતી મળી છે.

જિજ્ઞેશને પાલનપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને રોડ મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અહીંથી તેમને મધરાતે વિમાન મારફતે આસામ લઈ જવામાં આવ્યા છે. ધરપકડ બાદ જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે મને એફઆઈઆરની નકલ આપી નથી. પણ એવું કહ્યું છે કે તમે એક ટ્વીટ કર્યું છે એટલે તમારી સામે કેસ થયો છે, આથી તમારી ધરપકડ કરવામાં આવે છે. ટ્વીટમાં મેં શાંતિની અપીલ કરી હતી. મેં ટ્વીટમાં કહ્યું હતું કે જે પ્રમાણે દેશમાં માહોલ છે, જે પ્રમાણે કોમી એકતા તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે, તેમા દેશમાં શાંતિ જળવવી જોઈએ. શાંતિ જાળવી રાખવા બદલ એફઆઈઆર કરવામાં આવે તે વાતની મને નવાઈ લાગે છે. આ સરકારનું વાસ્તવિક ચિત્ર બતાવે છે. મને પહેલેથી કોઈ જાણ કરાઈ નથી. પરીવારજનો સાથે પણ વાત કરવા દીધી નથી. હું લડત આપનાર વ્યક્તિ છું. આવા કેસથી હું ડરવાનો નથી.

Next Story