Connect Gujarat
ગુજરાત

ભરૂચ : પટેલ વેલ્ફેર ઇન્સિટયુટ ઓફ નર્સિંગમાં ગ્રેજયુએશન સેરેમની યોજાઇ

ભરૂચના પટેલ વેલ્ફેર સંકુલમાં આવેલી વેલ્ફેર ઇન્સ્ટિટયુટ ઓફ નર્સિંગ મિડવાઇફરી કોલેજની ગ્રેજયુએશન સેરેમની યોજવામાં આવી હતી

ભરૂચ : પટેલ વેલ્ફેર ઇન્સિટયુટ ઓફ નર્સિંગમાં ગ્રેજયુએશન સેરેમની યોજાઇ
X

ભરૂચના પટેલ વેલ્ફેર સંકુલમાં આવેલી વેલ્ફેર ઇન્સ્ટિટયુટ ઓફ નર્સિંગ મિડવાઇફરી કોલેજની ગ્રેજયુએશન સેરેમની યોજવામાં આવી હતી. આ અવસરે B.Sc નર્સિંગ , GNM નર્સિંગ, ANM નર્સિંગ ના સ્ટુડન્ટ ને સમાજ બૌદ્ધિકો અને મહાનુભાવોના હસ્તે મેડલ તેમજ સર્ટિફિકેટ એનાયત કરાયાં હતાં.



વેલ્ફેર ઇન્સ્ટિટયુટ ઓફ નર્સિંગ મિડવાઇફરી કોલેજની ગ્રેજયુએશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના વખતે સૌ પ્રથમ આ રોગને નાથવા અને પીડિત દર્દીઓને સારવાર માટે ખૂબ મહેનત કરનાર મરહુમ સલીમ ફાંસીવાલાને સ્મરાંજલિ આપવામાં આવી હતી. સેરેમનીમાં ડૉ.ખાલિદ ફાંસીવાલા, ટંકારિયા હાઈસ્કૂલના આચાર્ય ગુલામ પટેલ, અંજુમન સ્કૂલના શિક્ષક અને સામાજિક કાર્યકર મુહમ્મદ લાલા, અંબે માતા વિદ્યાલયના કોમર્સના શિક્ષક રફીકભાઇ, મનુબર સ્કૂલના આચાર્ય જાકીરભાઇ તથા અન્ય મહેમાનો હાજર રહયાં હતાં. સમાજ ના અગ્રણીઓ,સમાજ સેવકો ઉપરાંત વેલ્ફેર હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ ના સભ્યો અને એડમીન સ્ટાફ, સ્કૂલ તથા કોલેજ ના અઘ્યાપકો તેમજ વાલીઓ ની ઉપસ્થિતિમાં સંસ્થામાંથી વિદાય લેનાર સ્નાતકોને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.

Next Story