અંકલેશ્વર : પાનોલી-ખરોડ બ્રિજ નજીક સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી બ્રિજ નજીક નેશનલ હાઇવે પર સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
  • પાનોલી-ખરોડ બ્રિજ નજીક નેશનલ હાઇવે પર ટેન્કરમાં આગ

  • સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળી

  • ટેન્કરના ટાયરમાં આગ ફાટી નીકળતા ચાલકની સમય સૂચકતા

  • ટેન્કરને રોડ સાઈડમાં ઉભું કરી દેતા મોટી દુર્ઘટના સર્જાતા ટળી

  • જહેમત બાદ આગ કાબુમાં લેવા ફાયર ફાઈટરોને સફળતા મળી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી બ્રિજ નજીક નેશનલ હાઇવે પર સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસારકચ્છ જિલ્લાના મુદ્રાથી ટેન્કરમાં સોયાબીન તેલ ભરીને સુરતના હજીરા મુકામે જઈ રહ્યું હતુંત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી-ખરોડ બ્રિજ નજીક નેશનલ હાઇવે પર સોયાબીન તેલ ભરેલા ટેન્કરના ટાયરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકેટેન્કર ચાલકે સમય સૂચકતા વાપરી ટેન્કરને રોડની સાઈડમાં ઉભું કરી દેતા મોટી દુર્ઘટના સર્જાતા ટળી  હતી. ટેન્કરમાં ફાટી નીકળેલી આગના પગલે સુરત તરફ જતો માર્ગ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.

તો બીજી તરફબનાવની જાણ થતાં ફાયર ટેન્ડરો સાથે ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતાજ્યાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી. જોકેભારે જહેમત બાદ સમગ્ર આગ પર કાબુ મેળવવામાં ફાયર ફાઈટરોને સફળતા મળી હતી. તો બીજી તરફમાર્ગ પર થયેલા ટ્રાફિકજામને પોલીસે હળવો કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

Latest Stories