ભરૂચ: પર્યાવરણ બચાવોના સંદેશ સાથે 12 જ્યોતિર્લિંગની સાયકલ યાત્રાએ નિકળેલ સાયકલલિસ્ટનું કરાયુ સ્વાગત

તેલંગાણાના સાયકલિસ્ટ ૧૭૦૦ કીલોમીટરની સાયકલ યાત્રા કરી  ભરૂચ જિલ્લામાં આવી પહોંચતાં ભરૂચના  સાયકલીસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

New Update
char dham
તેલંગાણાના સાયકલિસ્ટ ૧૭૦૦ કીલોમીટરની સાયકલ યાત્રા કરી  ભરૂચ જિલ્લામાં આવી પહોંચતાં ભરૂચના  સાયકલીસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
તેલંગાણાના મહેબૂબનગરથી  માહી  સાયકલ પર સેવ વોટર ,સેવ ટ્રી તથા પોલ્યુશન કા સોલ્યુશનના સંદેશ સાથે 12 જયોતિર્લિંગનાં દર્શને સાયકલ યાત્રા પર નીકળી આશરે 1700 કિલોમીટર જેટલું અંતર કાપીને ભરૂચ જિલ્લામાં આવી પહોંચતાં ભરૂચ જિલ્લાના પ્રખ્યાત સાયકલીસ્ટ શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી.સાયકલિસ્ટ માહી તેમની આ સાયકલ યાત્રા દરમિયાન  કુલ 17,000 કીલોમીટર મુસાફરી કરશે અને ભારતભરમાં આવેલા 12 જ્યોતિર્લિંગના દર્શન કરી પાણી તથા વૃક્ષ બચાવો અને પર્યાવરણ બચાવવાના પ્રયાસ નો સંદેશ આપશે