ભરૂચ: ત્રણ બેઠક પર યોજાયેલ પેટાચૂંટણીમાં 2 બેઠક પર ભાજપ- 1 પર કોંગ્રેસનો વિજય, હાંસોટની પંડવાઈ બેઠક કોંગ્રેસે આંચકી

ભરૂચ જિલ્લામાં ત્રણ બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં બે બેઠકો પર ભાજપ તો એક બેઠક પર કોંગ્રેસનો ઉમેદવારનો વિજય થયો હતો વિજેતા ઉમેદવારોને ટેકેદારો અને આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા

New Update
  • ભરૂચ જિલ્લામાં 3 બેઠકો પર પેટાચૂંટણી

  • મતગણતરી પ્રક્રિયા હાથ ધરાય

  • જંબુસર ન.પા.અને આછોદ જિ.પં.બેઠક પર ભાજપનો વિજય

  • હાંસોટની પંડવાઈ બેઠક પર કોંગ્રેસનો વિજય

  • શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી સંપન્ન

ભરૂચ જિલ્લામાં ત્રણ બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં બે બેઠકો પર ભાજપ તો એક બેઠક પર કોંગ્રેસનો ઉમેદવારનો વિજય થયો હતો વિજેતા ઉમેદવારોને ટેકેદારો અને આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા
રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. સૌ પ્રથમ વાત કરીએ જંબુસર નગર સેવાસદનના વોર્ડ નંબર એકની યોજાયેલ પેટા ચૂંટણીની. તો આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાઠીઓ જંગ જોવા મળ્યો હતો જેમાં ભાજપના ઉમેદવાર અમિષા વાઘેલાનો વિજય થયો હતો. ભાજપના અમિષા વાઘેલાને 1186 મત,આમ આદમી પાર્ટીના કિરણ માછીને 328 મત અને કોંગ્રેસના વનિતા જાદવને 715 મત મળ્યા હતા.જંબુસર પ્રાંત અધિકારીની કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં ભાજપના ઉમેદવારનો વિજય થતા ટેકેદારોએ તેમને શુભેચ્છા પાઠવી હતી
ભરૂચની હાંસોટ તાલુકા પંચાયતની ખાલી પડેલી પંડવાઈ બેઠક પર પણ ચૂંટણી યોજાઈ હતી જેમાં 82% જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું.આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનીષ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ધવલ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો ત્યારે આજ રોજ મામલતદાર કચેરી ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ મત ગણતરી પ્રક્રિયામાં માત્ર 39 મતની પાતળી સરસાઈથી કોંગ્રેસના ઉમેદવાર ધવલ પટેલનો વિજય થયો હતો.
વિજેતા ઉમેદવારને કોંગ્રેસના આગેવાનો અને ટેકેદારોએ શુભેચ્છા પાઠવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરના ભાજપના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભત્રીજા ધવલ પટેલે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને તેનો ભવ્ય વિજય થયો હતો
આ તરફ ભરૂચ જિલ્લા પંચાયતની આમોદની આછોદ બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં 50.10 ટકા જેટલું મતદાન થયું હતું ત્યારે આજરોજ આમોદ મામલતદાર કચેરી ખાતે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.મત ગણતરી પ્રક્રિયા દરમિયાન કોઇ અનીરછનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આ ચૂંટણીમાં ભાજપમાંથી મેલા વસાવા,કોંગ્રેસમાંથી સોમા વસાવા અને આમ આદમી પાર્ટીમાંથી જયંતિ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી જેમાંથી ભાજપના મેલા વસાવાનો વિજય થયો હતો.મેલા વસાવાનો 6400 મતે વિજય થયો હતો.
Read the Next Article

અંકલેશ્વર:નગર સેવા સદન દ્વારા સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે તિરંગા યાત્રાનું આયોજન, રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા

New Update
Screenshot (126)
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • નગરપાલિકા દ્વારા આયોજન કરાયું

  • તિરંગા યાત્રાનું આયોજન

  • મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

  • દેશભક્તિના રંગ જોવા મળ્યા

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા
સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા આજે શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, નગર પાલિકા પ્રમુખ લલિતા બેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેસવલ કોલડીયા, નગર પાલિકા સભ્યો, ભાજપના હોદેદારો, આગેવાનો, પોલીસ અધિકારીઓ અને જવાનો, શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગર પાલિકા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.યાત્રા દરમિયાન ભાગ લેનારોએ હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા લગાવ્યા હતા. સમગ્ર માર્ગ દેશપ્રેમના ઉલ્લાસથી ગુંજી ઉઠ્યો હતો. તિરંગા યાત્રાએ શહેરમાં દેશપ્રેમનો માહોલ સર્જી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
Latest Stories