ભરૂચ: UCC અને વકફ બિલના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

સમસ્ત ભરૂચ જીલ્લા મુસ્લીમ સમાજ દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ દાખલ કરવા અને વકફ બીલના વિરોધમાં જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પાઠવાયું આવેદનપત્ર

  • યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ

  • વકફ બિલનો પણ વિરોધ કરાયો

  • મુસ્લિમ સમાજના વાંધા સ્વીકારવાની માંગ

સમસ્ત ભરૂચ જીલ્લા મુસ્લીમ સમાજ દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ દાખલ કરવા અનેવકફ બીલના વિરોધમાં જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રપતિને સંબોધીને સમસ્ત ભરૂચ જીલ્લા મુસ્લીમ સમાજના આગેવાન અબ્દુલ કામઠી,ઈમરાન પટેલ સહિતના આગેવાનોએ હાથમાં બેનરો સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભારતીય સંવિધાનની ધારા 44 એક સમાન સિવિલ કોડની દિશામાં સિદ્ધાંતિક સલાહ આપે છે પરંતુ તેને લાગુ કરવાની પદ્ધતિ અને સમય સંબંધિત ગંભીર ચિંતાઓ છે.ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તાવિત યુસીસી ખરડો, રાજ્યની ધાર્મિક, સાંસ્કૃતિક, અને સામાજિક વૈવિધ્યને અવગણીને એકપક્ષી રીતે લાગુ કરવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાના આક્ષે સાથે 2018ના લો કમિશન ઓફ ઇન્ડિયાના 21મા અહેવાલ મુજબ UCCનો અમલ સંસ્કૃતિક સંવેદનશીલતા અને સહમતિ વિના ન થાય,ગુજરાતમાં 32%  ટકા લોકો ગ્રામીણ પરંપરાઓ પર આધારિત છે અને 18 ટકા લઘુમતી સમુદાયો UCC દ્વારા અસરગ્રસ્ત થવાની શક્યતા છે ત્યારે ધાર્મિક સ્વાતંત્ર્ય અને સાંસ્કૃતિક વૈવિધ્ય પર અસર અને  સામાજિક અસંતુલનનો ભય,રાજ્યની એકતા પર જોખમ, ગુજરાતની સંસ્કૃતિમાં ગરબા, ઉર્સ, અને પારસી નવરોઝ જેવા સંસ્કારો ધાર્મિક કાયદાઓ સાથે જોડાયેલા છે.
યુસીસી  દ્વારા આ પ્રથાઓ ગેરકાયદેસર ઠરાવાથી સાંસ્કૃતિક ઓળખને જોખમ ઉભું થવાનો મત રજૂ કરવામાં આવ્યો છે આ સાથે જ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે યુસીસીને લગતી મીટીંગ બોલાવીને તમામ માયનોરીટી સમાજના સભ્યોને સાંભળવામાં આવે અને વાંધાઓ સ્વીકારવામાં આવે એવી સમસ્ત ભરૂચ જીલ્લા માયનોરીટી અને મુસ્લીમ સમાજે માંગ કરી છે.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.