ભરૂચ: સાધુ સંતોએ પદયાત્રા કાઢી આતંકી હુમલાનો નોંધાવ્યો વિરોધ, હિન્દૂ સમાજને એકત્રિત થવા કર્યું આહવાહન

ભરૂચમાં વિવિધ હિન્દુ સંગઠનો અને સાધુ સંતોએ પદયાત્રા કાઢી જમ્મુ કશ્મીરમાં થયેલ આતંકી હુમલાનો વિરોધ નોંધાવ્યો હતો સાથે જ હિન્દુ સમાજને જાગૃત થવાનું પણ આવાહન કર્યું હતું.

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

સાધુ સંતો દ્વારા પદયાત્રાનું આયોજન

આતંકી હુમલાનો કરાયો વિરોધ

હિન્દૂ સમાજને એકત્રિત થવા આહવાહન

હિન્દૂ સંગઠનોના સભ્યો જોડાયા

ભરૂચમાં વિવિધ હિન્દુ સંગઠનો અને સાધુ સંતોએ પદયાત્રા કાઢી જમ્મુ કશ્મીરમાં થયેલ આતંકી હુમલાનો વિરોધ નોંધાવ્યો હતો સાથે જ હિન્દુ સમાજને જાગૃત થવાનું પણ આવાહન કર્યું હતું.
ભરૂચ શહેરમાં સનાતન ધર્મના સાધુ-સંતોની આગેવાની હેઠળ શ્રવણ સ્કૂલથી શક્તિનાથ મંદિર સુધી રવિવારે એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. પહેલગાંવમાં થયેલી ઘટનાને લઈને પ્રદર્શન કરવામાં આવ્યું અને વિધર્મીઓ સામે તીવ્ર વિરોધ નોંધાવાયો.રેલીમાં હાજર રહેલા સ્વામી મંગળદાસજી,  સ્વામી રાજ રામેશ્વર સ્વામી, મુક્તાનંદ સ્વામી, મોહનદાસજી મહારાજ, તથા સ્વામી લોકેશનનંદ મહારાજ  સહિતના અનેક સાધુ-સંતોએ ધાર્મિક સમુદાયને સંબોધિત કરતાં જણાવ્યું કે, “મોદી સરકાર આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરે છે, પણ હિન્દુ સમાજે પણ હવે જાગવું પડશે અને એકતા બતાવવી પડશે. રેલી દરમિયાન કોઈ અનિરછનીય બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.