ભરૂચ: સાધુ સંતોએ પદયાત્રા કાઢી આતંકી હુમલાનો નોંધાવ્યો વિરોધ, હિન્દૂ સમાજને એકત્રિત થવા કર્યું આહવાહન

ભરૂચમાં વિવિધ હિન્દુ સંગઠનો અને સાધુ સંતોએ પદયાત્રા કાઢી જમ્મુ કશ્મીરમાં થયેલ આતંકી હુમલાનો વિરોધ નોંધાવ્યો હતો સાથે જ હિન્દુ સમાજને જાગૃત થવાનું પણ આવાહન કર્યું હતું.

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

Advertisment

સાધુ સંતો દ્વારા પદયાત્રાનું આયોજન

આતંકી હુમલાનો કરાયો વિરોધ

હિન્દૂ સમાજને એકત્રિત થવા આહવાહન

હિન્દૂ સંગઠનોના સભ્યો જોડાયા

ભરૂચમાં વિવિધ હિન્દુ સંગઠનો અને સાધુ સંતોએ પદયાત્રા કાઢી જમ્મુ કશ્મીરમાં થયેલ આતંકી હુમલાનો વિરોધ નોંધાવ્યો હતો સાથે જ હિન્દુ સમાજને જાગૃત થવાનું પણ આવાહન કર્યું હતું.
Advertisment
ભરૂચ શહેરમાં સનાતન ધર્મના સાધુ-સંતોની આગેવાની હેઠળ શ્રવણ સ્કૂલથી શક્તિનાથ મંદિર સુધી રવિવારે એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. પહેલગાંવમાં થયેલી ઘટનાને લઈને પ્રદર્શન કરવામાં આવ્યું અને વિધર્મીઓ સામે તીવ્ર વિરોધ નોંધાવાયો.રેલીમાં હાજર રહેલા સ્વામી મંગળદાસજી,  સ્વામી રાજ રામેશ્વર સ્વામી, મુક્તાનંદ સ્વામી, મોહનદાસજી મહારાજ, તથા સ્વામી લોકેશનનંદ મહારાજ  સહિતના અનેક સાધુ-સંતોએ ધાર્મિક સમુદાયને સંબોધિત કરતાં જણાવ્યું કે, “મોદી સરકાર આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરે છે, પણ હિન્દુ સમાજે પણ હવે જાગવું પડશે અને એકતા બતાવવી પડશે. રેલી દરમિયાન કોઈ અનિરછનીય બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.
Advertisment
Latest Stories