ભરૂચ: દર્શનમાત્રથી પાપ મુક્ત કરતી નર્મદા નદી જ થઈ રહી છે "અપવિત્ર", નિહાળો Special Report

નર્મદા નદીના તો દર્શન માત્રથી પાપ મુક્ત થઈ જવાય છે પરંતુ જે નદીએ પોતાના કિનારે એક આખે આખી સંસ્કૃતિ વસાવી છે એ જ નદી સરકાર અને તંત્રના ઉદાસીન વલણના કારણે હવે પ્રદૂષિત થઈ રહી છે

New Update
  • ભરૂચ નજીક પાવન સલીલા માં નર્મદા થઈ રહી છે દુષિત

  • ગટરનું દુષિત પાણી નર્મદા નદીમાં ખુલ્લેઆમ ભળી રહ્યું છે

  • દર્શનમાત્રથી પાપ મુક્ત કરતી નર્મદા નદી જ થઈ રહી છે અપવિત્ર

  • પાણીના ટ્રીટમેન્ટ માટે બનાવાયેલ પ્લાન્ટ પણ શોભાના ગાંઠિયા સમાન

  • યમુના નદીમાં પ્રદુષણ મામલે ઉહાપોહ મચાવનાર ભાજપના શાસકો નર્મદાના પ્રદુષણ મુદ્દે મૌન કેમ?

Advertisment
નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા કરવા રાજ્યભરમાંથી શ્રદ્ધાળુ ઉમટી રહ્યા છે અને નદીના દર્શન માત્રથી પાપ મુક્ત થઈ રહ્યા છે પરંતુ ભરૂચમાં તમે નર્મદા નદીની દુર્દશા જોશો તો તમારી આંખમાંથી આંસુ આવી જશે.નર્મદા નદીમાં ખુલ્લેઆમ ગટરનું દૂષિત પાણી ભળી રહ્યું છે છતાં પણ તંત્રનું મૌન ગંભીર બેદરકારીના દર્શન કરાવી રહ્યું છે
હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં નદીઓને ઉચ્ચ કક્ષાનો દરજ્જો અપાયો છે ખાસ કરીને રેવાના નામે જાણીતી નર્મદા નદીના તો દર્શન માત્રથી પાપ મુક્ત થઈ જવાય છે પરંતુ જે નદીએ પોતાના કિનારે એક આખે આખી સંસ્કૃતિ વસાવી છે એ જ નદી સરકાર અને તંત્રના ઉદાસીન વલણના કારણે હવે પ્રદૂષિત થઈ રહી છે. દિલ્હીમાં યમુના નદીમાં પ્રદૂષણના મુદ્દે ઉહાપોહ મચાવનાર ભાજપની ગુજરાત સરકારના રાજમાં ભરૂચમાં નર્મદા નદીમાં ખુલ્લેઆમ ગટરનું પાણી વહી રહ્યું છે જે ખૂબ જ ચિંતાજનક છે.
ભરૂચ શહેર માટે 2014માં આરંભ કરાયેલ ભૂગર્ભ ગટર યોજના દસ વર્ષ પછી પણ પૂર્ણ થઇ નથી પરિણામે આજે પણ શહેરના અનેક વિસ્તારોમાંથી ગંદું અને દૂષિત પાણી સીધું મા નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.શહેરના ફુરજા, લાલબજાર, દાંડિયા બજાર  સહિત અનેક વિસ્તારોનું ગંદુ પાણી ખુલ્લા નાળાઓ મારફતે પવિત્ર  નર્મદામાં નદીમાં વહી રહ્યું છે.
Advertisment
શહેરી વિસ્તાર બાદ હવે ઝાડેશ્વર નજીક તવરા રોડ પર આકાર પામી રહેલ નવી સોસાયટીઓ તેમજ એપાર્ટમેન્ટનું દૂષિત પાણી પણ નાળા મારફતે પાવન સલીલા માં નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નર્મદા નદી દૂષિત થઈ રહી છે. 
ગટરનો દૂષિત પાણી નર્મદા નદીમાં જતું અટકાવવા માટે તંત્ર દ્વારા શહેરમાં ઘેલાણી તળાવ નજીક ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો છે પરંતુ એક યા બીજા કારણોસર આ પ્લાન પણ કાર્યરત થઈ શક્યો નથી જેના કારણે આ સમસ્યા વર્ષોથી જેસે થે જેવી જ જોવા મળી રહી છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ અંગે વારંવાર સરકાર અને નગરપાલિકામાં રજૂઆત કરી છે તેમ છતાં આ પ્રશ્નનું કોઈ નિરાકરણ નથી આવતું.
ગટરનો દૂષિત પાણી નર્મદા નદીમાં વહી જવા અંગે વિપક્ષ કોંગ્રેસ પણ તંત્રને સવાલોના કઠેરામાં ઊભું કરી રહ્યું છે. વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે ભરૂચ નગર સેવા સદન દ્વારા આજથી 11 વર્ષ પૂર્વે શરૂ કરાયેલી ભૂગર્ભ ગટર યોજના હજી સુધી પૂર્ણ થઈ શકી નથી તો બીજી તરફ ટ્રીટમેન્ટ પ્લાન પણ શોભાના ગાંઠિયા સમાન જ છે ત્યારે સરકાર આ બાબતે ગંભીર ન હોવાનું દેખાઈ રહ્યું છે.
Advertisment
આ બાબતે ભરૂચ નગર સેવાસદનના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલનો સંપર્ક કરતા તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો પરંતુ જે નદીના જળને લોકો પવિત્ર માની મસ્તકે લગાવે છે એ જ નદીમાં લોકોના ઘરનું દૂષિત પાણી ભળે તે યોગ્ય નહીં જ કહી શકાય જાણે અજાણે સરકાર અને તંત્ર આ પાપ પોતાના માટે લઈ રહ્યું છે.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment