અંકલેશ્વર-ભરૂચને જોડતા માર્ગ પર પોલીસનું ચેકીંગ,ઓવરસ્પીડ જતા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી !

અંકલેશ્વરથી ભરૂચને જોડતા રોડ પર જિલ્લા ટ્રાફિક પોલીસે ગતિ મર્યાદા ટ્રાફિક ડ્રાઈવ ઝુંબેશ શરુ કરી  ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.

New Update
  • ભરૂચ ટ્રાફિક પોલીસ દ્વારા ચેકીંગ શરૂ કરાયુ

  • અંકલેશ્વર-ભરૂચને જોડતા માર્ગ પર ચેકીંગ

  • ઓવરસ્પીડ દોડતા વાહનચાલકો દંડાયા

  • તંત્ર દ્વારા ગતિ મર્યાદા 40 કી.મી.પ્રતિકલાક રાખવામાં આવી છે

  • ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ પણ દંડ વસુલાયો

અંકલેશ્વરથી ભરૂચને જોડતા રોડ પર જિલ્લા ટ્રાફિક પોલીસે ગતિ મર્યાદા ટ્રાફિક ડ્રાઈવ ઝુંબેશ શરુ કરી  ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.
અંકલેશ્વરથી ભરૂચને જોડતા માર્ગ પર વધતા અકસ્માતો રોકવા તંત્ર દ્વારા  વાહનોની ગતિ 40 કિલોમીટર પ્રતિકલાકની કરવામાં આવી હતી અને આ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ  દ્વારા રોડ પર સ્પીડોમીટર સાથે ગતિ મર્યાદા અંગેનું  ચેકિંગ હાથ ધરી 40ની સ્પીડથી વધુ સ્પીડે પસાર થતા વાહનોના ચાલકોને દંડ ફટકાર્યો હતો તેમજ ઈ મેમો પણ આપવામાં આવ્યા હતા.ટ્રાફિક સપ્તાહ અંતર્ગત  અંકલેશ્વરથી ભરૂચ જતા  માર્ગ પર સ્પીડોમીટર મૂકી વાહનની ગતિ તપાસ કરવામાં આવી હતી. દૂરથી જ ગતિની જાણ થતા  રોડ પર તૈનાત ટ્રાફિક પોલીસ જવાન ને જાણ કરી વાહન થોભાવી  દંડ કરવામાં આવ્યો હતો. એસટી બસથી લઇ તમામ વાહનોની ગતિ મર્યાદા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ચકાસવામાં આવી હતી.આ ઉપરાંત હેલ્મેટ, સીટબેલ્ટ, સહીત આર.ટી.ઓ અને ટ્રાફિક નિયમના ભંગ બદલ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ: પોલીસ દ્વારા BAIL કંપનીમાં રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ !

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના

New Update

ભરૂચ પોલીસની કાર્યવાહી

ડ્રગસના જથ્થાનો નાશ કરાયો

દહેજની બેઇલ કંપનીમાં નાશ કરાયો

રૂ.1.25 કરોડની કિંમતનું ઝડપાયું હતું ડ્રગસ

વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.
રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના ગુન્હામાાં જપ્ત કરેલ મુદ્દામાલના નાશ-નિકાલની કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ મયુર ચાવડા  તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય ડૉ. કુશલ ઓઝા, નાયબ પોલીસ અધિક્ષકના  માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીના સંકલન દ્વારા ભરૂચ જિલ્લાના 7 પોલીસ પોલીસ મથકના 17 ગુનામાં ઝડપાયેલા રૂ.1.25 કરોડની કિંમતના 608 કિલો ડ્રગ્સનો દહેજમાં આવેલ બેઇલ કંપની ખાતે વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો.સૌથી વધુ 576 કિલો ડ્રગ્સ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું.