ભરૂચ: દહેજના કોસ્ટલ વિસ્તારમાં પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ, સમગ્ર પરિસ્થિતિ પર પોલીસની નજર

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સૌથી મોટા ઔદ્યોગિક કલસ્ટર દહેજ ખાતે પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી

New Update
  • ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ

  • સમગ્ર દેશમાં કડક સુરક્ષા વ્યવસ્થા

  • ભરૂચમાં પણ પોલીસ  એલર્ટ

  • દહેજમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કરાયુ

  • સમગ્ર પરિસ્થિતિ પર પોલીસની નજર 

ભારત પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિના પગલે ભરૂચના દહેજ ખાતે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે સાથે જ સુરક્ષા વ્યવસ્થા પણ વધુ સઘન બનાવવામાં આવી છે

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.બંને દેશો સામસામે જવાબી હુમલા કરી રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ પણ એલર્ટ થઈ છે. ભરૂચના કોસ્ટલ વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

સૌથી મોટા ઔદ્યોગિક કલસ્ટર દહેજ ખાતે પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે જેના ભાગરૂપે દહેજમાં આવેલ જીટીઓ સહિતના સ્થળોએ પોલીસ દ્વારા રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.સાથે જ સ્થાનિકોને કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો પોલીસને તાત્કાલિક જાણ કરવા સૂચના આપી દેવામાં આવી છે. 

ભરૂચ પ્રાંત અધિકારી મનીષા માનાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ દહેજ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવી સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા વિચારણા કરી હતી.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.