અંકલેશ્વર: નજીક નેશનલ હાઇવે પર 5 કી.મી.સુધી ટ્રાફિકજામ, વાહનોની કતારના આકાશી દ્રશ્યો

ટ્રાફિકજામના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા. સુરત તરફ જતી લેનમાં અંકલેશ્વરની વાલીયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે

New Update
Traffic Jam
  • અંકલેશ્વર નજીક ફરીએકવાર ટ્રાફિકજામ

  • વાહનોની 5 કી.મી.સુધી કતાર

  • ટ્રાફિકજામના આકાશી દ્રશ્યો

  • આમલાખાડીના ઓવરબ્રિજ પર પેચવર્કના પગલે ટ્રાફિકજામ

  • અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આમલાખાડીના ઓવરબ્રિજ પર નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા સમારકામની કામગીરીના પગલે વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે..
નેશનલ હાઇવે નંબર 48 પર અંકલેશ્વર નજીક ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અંકલેશ્વર નજીક હાઇવે પર ચારથી પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી કરતાં લાગી છે. અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક હાઇવેના બિસ્માર બનેલા માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ટ્રાફિકજામના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે.
ટ્રાફિકજામના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા. સુરત તરફ જતી લેનમાં અંકલેશ્વરની વાલીયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે ત્યારે ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીઓએ વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવવા કવાયત શરૂ કરી છે.
આ અંગે ભરૂચ ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એલ.મહેરીયાએ જણાવ્યું હતું કે અંકલેશ્વરની વાલીયા ચોકડી આગળ આમલાખાડીના ઓવરબ્રિજ પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પેચવર્કની કામગીરી ચાલી રહી છે. બંને લેન પર તબક્કાવાર સમારકામની કામગીરી કરવામાં આવશે જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જોકે ટ્રાફિક નિયમન કરવા પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આજે રાત સુધીમાં સમારકામની કામગીરી પૂર્ણ થઈ જશે ત્યારે આવતીકાલથી ટ્રાફિક પૂર્વક થાય એવી શક્યતા છે
Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.