Connect Gujarat
ગુજરાત

ભાવનગર: ચારધામની યાત્રાએ ગયેલ 7 લોકોના મોત,ગામમાંથી અર્થી ઉઠતા લોકો હીબકે ચઢ્યા..!

ઉત્તરાખંડમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ભાવનગર જિલ્લાના 7 લોકોના મોતની ઘટનામાં આજે 6 લોકોના મૃતદેહ તેમના ઘરે આવી પહોંચ્યા હતા.

X

ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઇવે પર સર્જાયેલા બસ અકસ્માતમાં ભાવનગર જિલ્લાના 7 લોકોના મોતની ઘટનામાં આજે 6 લોકોના મૃતદેહ તેમના ઘરે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓની અંતિમવિધિ કરવામાં આવી હતી

ઉત્તરાખંડમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ભાવનગર જિલ્લાના 7 લોકોના મોતની ઘટનામાં આજે 6 લોકોના મૃતદેહ તેમના ઘરે આવી પહોંચ્યા હતા. રાજ્યસરકાર દ્વારા કરાયેલી વ્યવસ્થા જેમાં જેમાં બાય એર દહેરાદુનથી અમદાવાદ આવ્યા બાદ તમામ 6 મૃતદેહોને બાયરોડ રવાના કરવામાં આવ્યા હતા.જેમાં તળાજા તાલુકાના પાદરી ગામે આ અકસ્માતમાં ગુજરી જનાર ગીગાભાઈ ગભાભાઈ ભમ્મર કે જેઓ 7 સંતાનોના પિતા હતા જેના મોતથી પાદરી ગામ શોકમાં ગરકાવ થઈ ગયું હતું.ગીગાભાઈ 5 બહેનોના એકના એક ભાઈ અને 7 સંતાનોના પિતા અને તેના ઘરના પાલનહાર હતા.જેના મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.મૃતદેહ ઘરે આવી પહોંચતા ભારે રોળકકળ બાદ તેની અંતિમવિધિ કરવામાં આવી હતી.

Next Story