Connect Gujarat
ગુજરાત

ભાવનગર : પાલીતાણાની સર માનસિંહજી હોસ્પિટલમાં નિ:શૂલ્ક નિદાન કેમ્પ યોજાયો, 1 હજારથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો

ભાવનગર : પાલીતાણાની સર માનસિંહજી હોસ્પિટલમાં નિ:શૂલ્ક નિદાન કેમ્પ યોજાયો, 1 હજારથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો
X

સર માનસિંહજી હોસ્પિટલ, પાલીતાણા અને એચ.સી.જી. હોસ્પિટલ, ભાવનગર દ્વારા શેઠ આણંદજી કલ્યાણજી પેઢી અને વર્ધમાન પરિવારના સહયોગથી પાલીતાણા તથા આજુબાજુની જનતાની આરોગ્ય સુખાકારી માટે સર માનસિંહજી હોસ્પિટલ, પાલિતાણા ખાતે એક નિ:શૂલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ નિ:શૂલ્ક નિદાન કેમ્પનો પાલીતાણા અને તેની આસપાસના ગામના લોકોએ લીધો હતો અને આશરે ૧,૦૦૦ થી વધુ લોકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો હતો. જરૂરિયાતમંદ દર્દીઓને માર્ગદર્શન તથા નિ:શૂલ્ક દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હ્યદયરોગ, મગજ તથા ચેતાતંતુ, કરોડરજ્જુ, કેન્સર, હાડકા તથા સાંધાના રોગો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, કિડની, લીવર વગેરે રોગોની નિ:શૂલ્ક તપાસ એચ.સી.જી. હોસ્પિટલ, ભાવનગરની અનુભવી અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Next Story