ભાવનગર : કાતિલ ઠંડીમાં સેવાના સથવારે જરૂરિયાતમંદોની રાત ટૂંકી બનાવતી સેવાભાવી સંસ્થાઓ...
BY Connect Gujarat Desk19 Dec 2021 4:14 AM GMT
X
Connect Gujarat Desk19 Dec 2021 4:14 AM GMT
અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ, ગુજરાત રાજ્યના અધ્યક્ષ નિલેશ જોશીના માર્ગદર્શન હેઠળ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં દરિદ્રનારાયણ દર્દીઓ માટે ફ્રૂટ ઉપરાંત કડકડતી ઠંડીમાં ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ જયેશ બ્રહ્મભટ્ટ, આર.એમ.ઓ. ડો. તુષાર આદેસરા અને હાર્દિક ગાથાણીનો આ તકે જરૂરી સહયોગ મળ્યો હતો.
તો બીજી તરફ ભાવનગર કોળી સેના દ્વારા જાણીતા સેવાભાવી કાળુ જાંબુચાના નેતૃત્વમાં મોડી રાત્રે જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. ભાવનગરના રોડ-રસ્તા પર ઠંડીમાં ઠૂઠવાતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રાતના અંધારામાં, કડકડતી ઠંડીમાં ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું.
Next Story