Connect Gujarat
ગુજરાત

ભાવનગર : અષ્ટવિનાયક મંદિરમાંથી ફક્ત 9 મિનિટમાં જ તસ્કરોએ દાન પેટી ઉઠાવી, ઘટના CCTVમાં કેદ

ચોરીની ઘટનાને અંજામ આપનાર 3 તસ્કરો CCTVમાં કેદ થયા હતા. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ગત મોડી રાત્રે 2:40 કલાકે તસ્કરોએ મંદિરમાં પ્રવેશી 2:49 કલાકે આખે આખી દાન પેટી જ ઉઠાવી ગયા

X

ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે આવેલ અષ્ટવિનાયક સિદ્ધિવિનાયક મંદિરમાં ગત મોડી રાત્રે અજાણ્યા શખ્સો મંદિરમાં પ્રવેશ કરી આખી દાન પેટી જ ઉઠાવી ગયા હતા, ત્યારે વહેલી સવારે ભાગવાની પૂજા આરતી કરવા આવેલ મંદિરના પૂજારીએ આસપાસના સ્થાનિકોને બોલાવ્યા હતા, અને મંદિરમાં દાનપેટીની ચોરી થયાનું હોવાનું જણાવ્યું હતું.

ચોરીની ઘટનાને અંજામ આપનાર 3 તસ્કરો CCTVમાં કેદ થયા હતા. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ગત મોડી રાત્રે 2:40 કલાકે તસ્કરોએ મંદિરમાં પ્રવેશી 2:49 કલાકે આખે આખી દાન પેટી જ ઉઠાવી ગયા હતા. આમ, માત્ર 9 મિનિટમાં તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી નાસી છૂટ્યા હતા. આ મામલે પૂજારીએ દાનપેટીમાં અંદાજે રૂપિયા 15,000 રોકડ રકમની ચોરી થયાની ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે, ત્યારે હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story