Connect Gujarat
ગુજરાત

ભાવનગર : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ પાલીતાણા મેળામાં બેભાન હાલતે મળી આવેલ મહિલાની મુલાકાત લઈ ખબરઅંતર પૂછ્યા

જૈન તીર્થ ધામ પાલીતાણામાં ફાગણ સુદના મેળામાંથી બેભાન અવસ્થામાં મળી આવેલ મહિલાની કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ મુલાકાત લઈ ખબરઅંતર પૂછ્યા હતા.

ભાવનગર : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ પાલીતાણા મેળામાં બેભાન હાલતે મળી આવેલ મહિલાની મુલાકાત લઈ ખબરઅંતર પૂછ્યા
X

ભાવનગર જિલ્લામાં જૈન તીર્થ ધામ પાલીતાણામાં ફાગણ સુદના મેળામાંથી બેભાન અવસ્થામાં મળી આવેલ મહિલાની કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ મુલાકાત લઈ ખબરઅંતર પૂછ્યા હતા.

ભાવનગરના સુપ્રસિદ્ધ જૈન તીર્થ ધામ પાલીતાણામાં તા. 16/૦૩/૨૦૨૨ના ફાગણ સુદ તેરસ પાલના મેળામાંથી બપોરના સમયે ૧૦૮ મારફતે અંબા ભંડારીને બેભાન અવસ્થામાં ગીરિવિહાર ટ્રસ્ટ સંચાલિત આર.એમ.ડી હોસ્પિટલમાં સારવાર હેતુ લાવવામાં આવેલ, ત્યારે તેમના સગા-સંબંધી તેમની સાથે હાજર હતા નહી. જેથી તે સમયે આર.એમ.ડી. હોસ્પિટલમાં કાર્યરત ડો. ધાર્મિક સોની ( MD Phy.)એ દર્દીના સગા-સંબંધી ગેરહાજર હોઈ, હોસ્પિટલ ટ્રસ્ટી અજય શાહની અનુમતી સાથે માનવતાની દ્રષ્ટીએ દર્દીનું ઈમરજન્સી વિભાગમાં તપાસ કરતા દર્દીને હૃદયની તકલીફ માલુમ પડતા તે સમયે ની:શુલ્ક પણે ઓક્સીજન સાથે જરૂરી લેબ ટેસ્ટ, સી.ટી.સ્કેન, x-ray જેવા શારીરિક તપાસો કરાવી દર્દીને ICU વિભાગમાં દાખલ કર્યા જેમની સાથે મેડીકલ ટીમ-હોસ્પિટલ સ્ટાફ સાથે દર્દીની સારવાર શરૂ કરી.

હાલ દર્દીની શારીરિક સ્વસ્થતામાં સારો સુધાર છે. જે અનુસંધાને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયા આર.એમ.ડી. હોસ્પિટલના ICU વિભાગમાં સારવાર લઈ રહેલ દર્દી અંબા ભંડારીની મુલાકાતે આવેલ તેમજ દર્દીની શારીરિક સ્વસ્થતા બાબતે માહિતી લીધેલ, જેમાં દર્દીની સારવાર બાદ સુધરેલ શારીરિક સ્વસ્થતા બાબતે માહિતગાર થયા સારવાર કરનાર ડો.ધાર્મિક સોની, મેડીકલ ડોક્ટર્સ–નર્સિંગ સ્ટાફની ટીમ, હોસ્પિટલ સ્ટાફ તેમજ ગીરિવિહાર ટ્રસ્ટ અને ટ્રસ્ટીગણનો અભાર વ્યક્ત કરેલ અને આગળના ભવિષ્યમાં આવી જ સારી કામગીરીની અપેક્ષાસહ હોસ્પિટલ વિભાગમાંથી વિદાય લીધી હતી.

Next Story