છોટાઉદેપુર: સેનાના જવાનનું જમ્મુ કાશ્મીરમાં અકસ્માતમાં નિધન,લોકોએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ

જમ્મુ ખાતે અકસ્માતમાં નિધન થતાં તેઓના પાર્થિવ દેહને બોડેલી લાવવામાં આવતા મોટી સંખ્યામાં તમામ સમાજના લોકોએ ભેગા થઈ શ્ર્દ્ધાંજલી અર્પણ કરી હતી

New Update
છોટાઉદેપુર: સેનાના જવાનનું જમ્મુ કાશ્મીરમાં અકસ્માતમાં નિધન,લોકોએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના એક નાનકડા ગામ અલ્હાદપુરાના એક યુવાનનું જમ્મુ ખાતે અકસ્માતમાં નિધન થતાં તેઓના પાર્થિવ દેહને બોડેલી લાવવામાં આવતા મોટી સંખ્યામાં તમામ સમાજના લોકોએ ભેગા થઈ શ્ર્દ્ધાંજલી અર્પણ કરી હતી

અલ્હાદપુરા ગામના બારિયા તુલસી ભાઈ કે જેઓ દેશ ની સેવા માટે 21 વર્ષ પૂર્વે લશ્કર માં જોડાયા હતા . જાન્યુઆરી માસમાં તેઓ તેમના માદરે વતન આવ્યા હતા . 5 માર્ચના રોજ તેઓ જમ્મુ ખાતે પરત ગયા હતા . તારીખ 8 માર્ચના રોજ તેઓ લશ્કરની ગાડીમાં અન્ય જવાનો સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમની ગાડીને અકસ્માત નડ્યો . માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેઓને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન તુલસી બારિયાનું મોત થયુ હતું . જેની જાણ તેમના વતન અલ્હાદપુરા ખાતે થતાં પરિવાર સહિત ગામમાં ગમગીની છવાઈ હતી.

આજ રોજ તેમના પાર્થિવ દેહ વતનમાં લાવવામાં આવસે તેની જાણ થતાં ગામ ના તમામ અગ્રણી વડોદરા ખાતે ના એરપોર્ટ ખાતે પહોચ્યા હતા . જ્યાં થી તેમના પાર્થિવ દેહ ને લઈ લશ્કરની ગાડીમાં અલ્હાદપુરા જવા નીકળ્યા હતા . વડોદરા થી નીકળેલ તેમના પાર્થિવ દેહ ને શ્ર્દ્ધાંજલી અર્પણ કરવા માટે ગામડી ચોકડી . અને બોડેલી સેવાસદન અને અલીપુરા ચાર રસ્તા પાસે લોકો મોટી સંખ્યા માં ભેગા થયા હતા . તમામ સમાજ ના લોકો એ તુલસી બારિયાને પુષ્પ માળા ચડાવી અને પુષ્પ વર્ષા કરી હતી .

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.