સાબરકાંઠા: હિમંતનગરના કોટન માર્કેટયાર્ડથી CM ભુપેન્દ્ર પટેલે ટેકાના ભાવથી મગફળી ની ખરીદીની શરૂઆત કરાવી

સાબરકાંઠા જિલ્લાના હિમંતનગરના કોટન માર્કેટયાર્ડથી CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ટેકાના ભાવથી મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે.

New Update
  • રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

  • હિમંતનગરથી CM ભુપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ 

  • 160 કેન્દ્રો પર થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી

  • પ્રતિમણના 1356 રૂપિયાના ભાવથી ખરીદી કરાશે

  • ખેડૂતોને પડખે રાજ્ય સરકાર ઉભી રહેશે સરકારે આપી ખાતરી      

સાબરકાંઠા જિલ્લાના હિમંતનગરના કોટન માર્કેટયાર્ડથી CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ટેકાના ભાવથી મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના હિમંતનગરના કોટન માર્કેડયાર્ડ ખાતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે મગફળીની ટેકાના ભાવથી ખરીદીની શરૂઆત કરાવી હતી.રાજ્યભરમાંથી 3,29,552 ખેડૂતોએ ટેકાના ભાવથી મગફળીનું વેચાણ કરાવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.જોકે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી પ્રતિમણના 1356 રૂપિયાના ભાવથી ખરીદી કરશે.અને રાજ્યમાં કુલ 160 ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.આ પ્રસંગે આગામી સમયમાં ખેડૂતોને પડખે રાજ્ય સરકાર ઉભી રહેશે તેવી ખાતરી પણ આપી હતી. ખેડૂતોની આર્થિક સધ્ધરતા કાયમ બની રહે તે માટે પણ રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાની વાત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ : ઝઘડિયાના ઉચેડીયામાં જીવના જોખમે ખાડી ઓળંગતા ગ્રામજનો,ખેડૂતો બન્યા લાચાર

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે.નદીની ખાડી ઉપર પુલના અભાવે ગ્રામજનો ભારે મુશ્કેલી સહન કરીને ભારે યાતના વેઠી રહ્યા છે.

New Update
  • ઉચેડીયામાં ગ્રામજનોને પારાવાર મુશ્કેલી

  • ખાડી પર બ્રિજના અભાવે ખડૂતો પરેશાન

  • જીવન જોખમે ખાડી પસાર કરતા ગ્રામજનો

  • ખેડૂતોએ ખેતી કરવી પણ બન્યું મુશ્કેલરૂપ

  • સ્થાનિક તંત્રને રજુઆત બાદ પણ કોઈ નિરાકરણ નહીં

  • ગ્રામજનો ખાડીના જોખમ સાથે બન્યા લાચાર 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે.નદીની ખાડી ઉપર પુલના અભાવે ગ્રામજનો ભારે મુશ્કેલી સહન કરીને ભારે યાતના વેઠી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે જીવના જોખમે ખેડૂતો ખેતી કરવા મજબૂર બન્યા છે.ઉચેડીયા ગામની મુખ્યત્વે જમીન નર્મદા પટ વિસ્તારમાં આવેલી છેઅહીં નાની મોટી ખાડીઓ નર્મદા નદીને મળતી હોય છે.ઉચેડીયા ગામ અને નર્મદા કાંઠાની સીમની જમીન વચ્ચે નાનકડી ખાડી પસાર થાય છે. ચોમાસા દરમિયાન ખાડી પસાર કરવા માટે ખેડૂતો અને પશુપાલકોએ જીવના જોખમે ખાડી ઓળંગવી પડે છે.

ઉપરવાસમાં વરસાદના કારણે તથા સ્થાનિક વરસાદના કારણે આ ઉચેડીયાની ખાડીમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેતો હોય છેત્યારે આવા સમયે ખેડૂતો અને પશુપાલકો લાચાર બનીને કાંઠા વિસ્તારની જમીન પર જવા માટે જીવના જોખમે પોતાના વાહનો તેમજ પશુઓ લઈ જવા પડે છે.

ઉચેડીયા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના આગેવાનો છેલ્લા દસ વર્ષથી ગામ અને સીમ વચ્ચે વહેતી ખાડી પર નાનો પુલ બનાવવા માટે માંગણી કરી રહ્યાં છે. દસ વર્ષ દરમિયાન પાંચથી સાત વખત જવાબદાર અધિકારીઓને પદાધિકારીઓને સરપંચ તથા ગ્રામજનો દ્વારા નાનો પુલ બનાવી આપવા માટે રજૂઆતો કરવામાં આવી છે.પરંતુ તંત્ર દ્વારા તથા ઝઘડિયાની નેતાગીરી દ્વારા આ ગંભીર સમસ્યા પર કોઈ જ ધ્યાન આપવામાં આવતું ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છેતેથી ઉચેડીયા ગામના ખેડૂતોને દર ચોમાસા દરમિયાન આવા જીવના જોખમે ખાડીના વહેતા પાણીમાંથી પોતાના વાહનો તેમજ ઢોર ઢાંખર પસાર કરવા પડે છે.તેઓની આ ગંભીર સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી લાગણી પણ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.