સાબરકાંઠા: હિમંતનગરના કોટન માર્કેટયાર્ડથી CM ભુપેન્દ્ર પટેલે ટેકાના ભાવથી મગફળી ની ખરીદીની શરૂઆત કરાવી

સાબરકાંઠા જિલ્લાના હિમંતનગરના કોટન માર્કેટયાર્ડથી CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ટેકાના ભાવથી મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે.

New Update
  • રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

  • હિમંતનગરથી CM ભુપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ 

  • 160 કેન્દ્રો પર થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી

  • પ્રતિમણના 1356 રૂપિયાના ભાવથી ખરીદી કરાશે

  • ખેડૂતોને પડખે રાજ્ય સરકાર ઉભી રહેશે સરકારે આપી ખાતરી      

સાબરકાંઠા જિલ્લાના હિમંતનગરના કોટન માર્કેટયાર્ડથી CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ટેકાના ભાવથી મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના હિમંતનગરના કોટન માર્કેડયાર્ડ ખાતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે મગફળીની ટેકાના ભાવથી ખરીદીની શરૂઆત કરાવી હતી.રાજ્યભરમાંથી 3,29,552 ખેડૂતોએ ટેકાના ભાવથી મગફળીનું વેચાણ કરાવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.જોકે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી પ્રતિમણના 1356 રૂપિયાના ભાવથી ખરીદી કરશે.અને રાજ્યમાં કુલ 160 ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.આ પ્રસંગે આગામી સમયમાં ખેડૂતોને પડખે રાજ્ય સરકાર ઉભી રહેશે તેવી ખાતરી પણ આપી હતી. ખેડૂતોની આર્થિક સધ્ધરતા કાયમ બની રહે તે માટે પણ રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાની વાત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ: CM ભુપેન્દ્ર પટેલ આવતીકાલે કંબોઈના સ્તંભેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભક્તિમાં બનશે લીન, તૈયારીઓને આખરી ઓપ આપાયો

શ્રાવણ માસના બીજા સોમવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્થે કાવી કંબોઈ ખાતે પધારનાર છે જેને લઈ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો

New Update
  • આવતીકાલે સી.એમ.ભુપેન્દ્ર પટેલ બનશે ભરૂચના મહેમાન

  • કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવના કરશે દર્શન

  • તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો

  • સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી

  • અંકલેશ્વરમાં પણ કાર્યક્રમમાં આપશે હાજરી

ભરૂચના જંબુસર તાલુકાના કાવી કંબોઈ ખાતે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પધારનાર છે.જેને લઈને વહિવટ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ભરૂચના જંબુસર તાલુકાના કાવી કંબોઈ ખાતે આવેલા સ્થંભેશ્વર મહાદેવ મંદિર સમગ્ર રાજ્યમાં ભક્તોની અનન્ય આસ્થાનું પ્રતીક છે.હાલમાં પવિત્ર શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે ત્યારે આવતીકાલે  શ્રાવણ માસના બીજા સોમવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્થે કાવી કંબોઈ ખાતે પધારનાર છે.જેને લઈને જંબુસર- આમોદ ધારાસભ્ય ડી.કે.સ્વામી એ માહિતી આપતા જણાવ્યું હતું કે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાવી-કંબોઈ ખાતે યોજાનાર એક કાર્યક્રમમાં હાજરી આપનાર છે.
મુખ્યમંત્રીના પ્રવાસને ધ્યાનમાં રાખીને,ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. કાવી-કંબોઈનું પૌરાણિક શિવ મંદિર અને તેની આસપાસના વિસ્તારમાં સાફ-સફાઈ અને જરૂરી વ્યવસ્થાનું આયોજન પુરજોશમાં ચાલી રહ્યું છે.મુખ્યમંત્રીના આગમનને લઈને નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ કાર્યક્રમ બાદ મુખ્યપ્રધાન અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉન હોલમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે.