Connect Gujarat
ગુજરાત

Covid-19 : રાજ્યમાં આજે 68 નવા કેસ નોધાયા, 74 દર્દીઓ થયા સાજા

રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 68 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 74 દર્દીઓ રિકવર પણ થયા છે.

Covid-19 : રાજ્યમાં આજે 68 નવા કેસ નોધાયા, 74 દર્દીઓ થયા સાજા
X

રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 68 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 74 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,819 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયુ નથી. આજે 2,42,710 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 14, વડોદરા કોર્પોરેશન 12, સુરત કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 7, આણંદ 4, નવસારી 4, ખેડા 3, વડોદરા 3, દેવભૂમિ દ્વારકા 2, વલસાડ 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગાંધીનગર કોર્પોરેશન 1, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 1, મહેસાણા 1, પાટણ 1, રાજકોટ 1, સુરત 1 અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 575 કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 569 નાગરિકો સ્ટેબલ છે. 8,17,819 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10101 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

Next Story